AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat Station: હિંમતનગરના રેલવે સ્ટેશનને નવા રુપ રંગ સાથે સજાવાશે, 1 વર્ષમાં અદ્યતન બનાવી સુવિધા વઘારાશે

હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવનાર છે. કેન્દ્રીય રેલવે દ્વારા દેશમાં 508 જેટલા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે આધુનિક રીતે વિકસાવવામાં આવનાર છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો.

Amrit Bharat Station: હિંમતનગરના રેલવે સ્ટેશનને નવા રુપ રંગ સાથે સજાવાશે, 1 વર્ષમાં અદ્યતન બનાવી સુવિધા વઘારાશે
| Updated on: Aug 06, 2023 | 2:43 PM
Share

હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવનાર છે. કેન્દ્રીય રેલવે દ્વારા દેશમાં 508 જેટલા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે આધુનિક રીતે વિકસાવવામાં આવનાર છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો. હિંમતનગરના રેલવે સ્ટેશનને હાલમાં જ નવુ નિર્માણ કરવામાં આવ્યુ છે. હવે 43 કરોડ રુપિયાના ખર્ચે આધુનિકરણ કરી પુનઃવિકાસ કરવામાં આવનાર છે.

રવિવારે સવારે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વિડી ઝાલા તથા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે કહ્યુ હતુ કે, નવી ડિઝાઈન સાથે સુંદર મજાનુ રેલવે સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. જરુરીયાત મુજબ કેટલાક ફેરફાર પણ કરવામાં આવશે.

43 કરોડના ખર્ચે તૈયાર કરાશે

હિંમતનગરને કેન્દ્ર સરકારે બ્રોડગેજ રેલવે લાઈનની ભેટ આપવા સાથે સુવિધાજનક રેલવે સ્ટેશનનુ નવિન ભવન મળ્યુ હતુ. હવે ટૂંકા સમયમાં જ હિંમતનગર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે પુનઃવિકાસ કરવામાં આવનાર છે. આ માટે 43 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. આમ આધુનિક સુવિધાઓ સાથે સુંદર રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. હિંમતનગર રેલવે સ્ટેશનને બ્રોડગેજ લાઈનની સુવિધા મળતા ઉદયપુર, ચિત્તોડગઢ અને ઉજૈન સહિતના સ્થળોની સાથે જોડતી સીધી રેલ સેવાનો લાભ મળી રહ્યો છે. આમ હવે આવનારા દિવસોમાં વધુ શહેરો સાથે હિંમતનગરનથી આવતી અને જતી ટ્રેન વધશે. આમ વધતા પ્રવાસીઓ સાથે અદ્યતન રેલવે સ્ટેશનનો લાભ મુસાફરોને મળશે.

હાલમાં ટ્રેનમાં સફર કરવા માટે મુસાફરોનો ધસારો વધતો જઈ રહ્યો છે. જેને લઈ હવે રેલવે સ્ટેશનને વધારે સુવિધાજનક તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સાથે સીધી અવર જવર થઈ શકે એ માટેનુ પણ આયોજન કરવામાં આવ્યુ હોય એમ સાંસદ દીપસિંહે કહ્યુ હતુ.

રેલવેના અધિકારીઓએ લીધી હતી મુલાકાત

અગાઉ રેલવે ઉચ્ચ અધિકારીઓએ હિંમતનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય સાથે બેઠક યોજીને જરુરી સૂચનો મેળવવામા આવ્યા હતા. જેના આધાર પર ડિઝાઈન અને સુવિધાઓ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. હવે અમૃત ભારત સ્ટેશન માટેની કામગીરી શરુ કરવામાં આવશે. જેને એક વર્ષમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Sabarkantha: સાબરકાંઠામાં રોગચાળો વકર્યો, ડેંગ્યૂ, ચામડી, શ્વસન રોગ અને કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યા વધી!

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">