Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે

મીટરગેજ રેલ સેવાને ભારત સરકારે બ્રોડગેજમાં રુપાંતરીત કરી, આગામી છ માસ બાદ ઉદયપુર સુધી ટ્રેન સેવા લંબાશે

Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે
Ahmedabad to Dungarpur Railway: સાંસદ દિપસિંહ રાઠોડ સહિત અગ્રણીઓએ કર્યો પ્રથમ ટ્રેનનો પ્રવાસ
Follow Us:
| Updated on: Jan 15, 2022 | 11:58 PM

અમદાવાદ થી રાજસ્થાન આવન જાવન કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ થી હિંમતનગર (Himmatnagar) બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુર થી અમદાવાદ (Ahmedabad to Dungarpur Railway) સુધીની પ્રથમ ટ્રેન હિંમતનગર થઇને અમદાવાદ પહોંચી હતી. આ સાથે જ હવે અમદાવાદ થી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) ની સફર રેલ્વે મારફતે કરવી સરળ બનશે. ઉપરાંત ડુંગરપુર અને બીંછીવાડા સહિતના રાજસ્થાનના પ્રવાસીઓ જે રોજગારી માટે અમદાવાદ અને હિંમતનગર વિસ્તારમાં સ્થાયી થયા છે. તેઓને મુસાફરીની સમસ્યામાં રાહત સર્જાઇ છે.

આ પહેલા ઉદયપુર થી વાયા ડુંગરપુર અને હિંમતનગર થઇને અમદાવાદ રેલ્વે લાઇન મીટરગેજ હતી. જેને બ્રોડગેજમાં રુપાંતરીત કરવા માટે રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ ઉકેલ આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા 7 વર્ષ દરમિયાન આ રેલ્વેના ગેજ રુપાંતરને ભારત સરકારે મંજૂરી આપીને કાર્યને ઝડપી બનાવ્યુ હતુ. જેના ફળસ્વરુપે હવે રાજ્સ્થાનના ડુંગરપુરથી પ્રથમવાર અમદાવાદ ટ્રેન પહોંચવા સાથે નવી શરુઆત થઇ છે

ડુંગરપુર થી પ્રથમ રેલવે ટ્રેન આજે શામળાજી રોડ અને રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી હતી. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. તેઓએ રસ્તામાં મુસાફરો અને સ્ટેશન પર લોકોના અભિવાદનને ઝીલવા સાથે લોકોના અનુભવોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, આ દાયકાઓ જૂનો એક પ્રશ્ન હતો, પરંતુ વડાપ્રધાને આપેલી ભેટ સમાન આ યોજના શરુ થઇ શકી છે અને હવે નવા ગેજ વડે બે રાજ્યનો જોડાણ સરળ બન્યુ છે. બંને રાજ્યોના પ્રવાસીઓને ઝડપી રેલ સેવાનો લાભ નવી લાઇન થકી મળ્યો છે. જે આગામી દિવસોમાં દિલ્હી-મુંબઇને સીધો જોડશે એવી આશા છે. હાલમાં ડુંગરપુર થી અમદાવાદ સેવા શરુ કરાઇ છે હવે તે છ માસ બાદ ત્રીજા તબક્કામાં ઉદયપુર સાથે જોડાઇ જશે. દિપસિંહ રાઠોડે બ્રોડગેજ રેલ્વેનુ સ્વપ્નુ પુરુ કરવા ખૂબ જહેમત કેન્દ્ર સરકારમાં ઉઠાવી હતી.

શામળાજી રોડ સ્ટેશનનુ સ્ટોપેજ

અમદાવાદ ઉદયપુર રેલવે લાઈન હાલમાં તબક્કાવાર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતર થઈ રહી છે. જેનો પ્રથમ તબક્કો અમદાવાદથી હિંમતનગર વચ્ચે શરુ થયો હતો અને હવે બીજા તબક્કામાં ડુંગરપુરથી અમદાવાદ વચ્ચે રેલવે સેવા શરુ કરવામાં આવી છે. પ્રસિદ્ધ શામળાજી મંદિરના દર્શન કરવાના રુટને સાંકળી લેતી આ ટ્રેનના રુપમાં શામળાજી રોડનુ સ્ટોપેજ પણ સામેલ છે. જેને લઇ હવે ટીટોઇ નજીક આવેલા શામળાજી રોડના રેલ્વે સ્ટોપેજ થી ટૂંકા અંતરની વાહન મુસાફરી થી શામળાજી મંદિરે પહોંચી શકાશે.

પ્રવાસીઓને વર્ષો બાદ સમસ્યા ઉકેલાયાનો આનંદ

ડુંગરપુર થી હિંમતનગર સુધી પ્રવાસ કરનાર પ્રથમ પ્રવાસીઓના સમુહ પૈકીના તુષાર પટેલ અને અસીમ પટેલે પોતાના આનંદનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે પ્રથમ વાર ટ્રેનનો રુટ શરુ થતો હોઈ અમે પ્રથમવાર યાદગાર પ્રવાસ કરવા સારું ડુંગરપુર થી હિંમતનગરની મુસાફરી કરી છે. ખૂબ ખુશીઓની લાગણી વ્યક્ત થઇ રહી છે.

સપ્તાહમાં એક દિવસ રજા રહેશે

સપ્તાહમાં 06 દિવસ આ ટ્રેન અમદાવાદ થી ડુંગરપુર વચ્ચે દોડશે. જેમા સવારે અમદાવાદ થી ઉપડનારી આ ટ્રેન બપોરે ડુંગરપુર પહોંચશે. ત્યાર બાદ તે ડુંગરપુર થી પરત અમદાવાદ પહોંચશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર થઇને અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ, લુસડીયા સ્ટેશન જેવા સ્થળો પર ટ્રેન રોકાશે. અમદાવાદ ડુંગરપુર વચ્ચેનો સમય ટ્રેન ચાર કલાક જેટલા સમયમાં કાપશે.

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનુ બતાવ્યુ મોટું કારણ, આ વાતોનો કર્યો ઉલ્લેખ, વાંચો પુરુ નિવેદન

આ પણ વાંચોઃ Virat Kohli Resign: વિરાટ કોહલી પર BCCI એ કોઇ દબાણ કર્યુ નથી, બોર્ડના અધિકારીએ કરી સ્પષ્ટતા

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">