Surat: 33 વર્ષથી સુરત સિવિલમાં 50 હજાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર રમણભાઈ રીટાયર થયા

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારીની જાણો સફર

Surat: 33 વર્ષથી સુરત સિવિલમાં 50 હજાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર રમણભાઈ રીટાયર થયા
Ramanbhai, who has been conducting postmortem of 50,000 bodies in Surat Civil for 33 years, has retired
Follow Us:
| Updated on: Jul 31, 2021 | 7:22 AM

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં(New Civil Hospital) પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા 60 વર્ષીય રમણભાઈ રીટાયર થયા છે. તેમણે પોતાના 33 વર્ષની નોકરી દરમિયાન 50 હજાર કરતાં વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું છે. તેમની આ સફરમાં કોરોના સમયમાં કામ કરવું સૌથી પડકારજનક રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે કોરોનાના શરૂઆતના વર્ષોમાં ઘણા પોસ્ટમોર્ટમ(postmortem) કરવામાં આવ્યા હતા જે શંકાસ્પદ હતા. પછી ખબર પડી હતી કે કોરોના પોઝિટિવ ના ઘણા બધા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી નાંખ્યું હતું.

સૌથી સારી વાત એ રહી કે પહેલી અને બીજી લહેર માં તેમને એક પણ વાર કોરોના(corona) નથી થયો. રમણભાઈ મગનભાઈ સોલંકી ભટારની સોમનાથ સોસાયટી માં રહે છે. તેમણે 1988થી સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યું હતું. પરિવારમાં તેમના પત્ની અને બે સંતાન છે. પત્ની મેડિકલ કોલેજમાં સફાઈ કર્મચારી છે.

તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું ત્યારે શરૂઆતમાં તેમને ઘર પર ભોજન કરવાનું પણ પસંદ નહોતું પડતું. ઘણીવાર ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહો આવતા હતા. જેમાં કીડા પણ પડતા, જે ઘણીવાર તેમના ઉપર પણ ચડી જતા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઇન્ચાર્જે પણ કહ્યું છે કે રમણભાઈ વર્ષોથી પોસ્ટમૉર્ટમ કરતાં આવ્યા છે. જેથી તેમને પીએમની ઝીણવટ ભરી માહિતીની પણ સારી રીતે ખબર છે. ઘણીવાર તેઓ પણ તેમની સલાહ પર અમલ કરે છે તો પરિણામ સારું આવે છે. મૃતદેહને ખોલતા જ રમણભાઈ બતાવી શકે છે કે તેની હત્યા છે કે આત્મહત્યા છે કે કોઈ બીમારી હશે.

સામાન્ય રીતે ડોકટર કે કલાસ વન અધિકારીઓ રીટાયર થતા હોય છે, ત્યારે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવતો હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આટલા વર્ષોમાં પહેલીવાર પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવનાર કર્મચારીનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.

રમણભાઈનો વિદાય સમારોહ નવી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે પહેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં 3 સર્વન્ટ બીજા હતા જે પોસ્ટમોર્ટમ કરતા. પરંતુ સર્વિસ પૂર્ણ થયા પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. જ્યારે રમણભાઈ સ્વસ્થ હાલતમાં આટલા વર્ષો બાદ રિટાયરમેન્ટ(retirement) લઇ રહ્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">