AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું શેરબજારના કડાકા થવા પાછળ Black Magic જવાબદાર ? રાજકોટના શેરબ્રોકરના મેસેજે ખળભળાટ મચાવ્યો

રાજકોટના(Rajkot) શેર બ્રોકર મીનીષ પટેલ ટેલિગ્રામમાં પોતાની શેર બજારની ટિપ્સ અંગેની ચેનલ ચલાવે છે.ગત 12 મે ના રોજ આ જ ટેલિગ્રામની ચેનલ પર મીનીષ પટેલે મેસેજ મૂક્યો હતો કે શેર બજારમાં કડાકાં પાછળ અમે જવાબદાર છીએ.અમે 8.50 કરોડના ખર્ચે કાળા જાદુ કરાવ્યું છે અને આ જાદુને કારણે બજાર સતત ગગડી રહ્યું છે.

શું શેરબજારના કડાકા થવા પાછળ Black Magic જવાબદાર ? રાજકોટના શેરબ્રોકરના મેસેજે ખળભળાટ મચાવ્યો
Rajkot Black Magic VIral Message
Mohit Bhatt
| Edited By: | Updated on: May 17, 2022 | 10:27 PM
Share

દેશના સૌથી મોટો આઇપીઓ એલઆઇસી(LIC IPO) ખુલ્લો મુકાયો છે જો કે પ્રથમ દિવસથી આ આઇપીઓમાં રોકાણકારોના રૂપિયા ફસાયા છે.છેલ્લા ઘણાં દિવસથી શેરબજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.રોકાણકારોના રૂપિયા ઘોવાઇ રહ્યા છે જો કે આ બધાની વચ્ચે રાજકોટના(Rajkot) એક શેર બ્રોકરનો ટેલિગ્રામના પેઇજ પર વાયરલ થયેલા મેસેજે ખળભળાટ મચાવ્યો છે.12 મે ના રોજ વાયરલ થયેલા આ મેસેજમાં શેર બ્રોકરે લખ્યું હતું કે શેરબજારની અસ્થિરતા થવા પાછળ કાળા જાદુ (Black Magic) જવાબદાર છે અને તેને આ કરવા માટે 8.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

બ્લેક મેજીક ખર્ચાળ છે પરંતુ સચોટ પરિણામ આપે છે-શેર બ્રોકર

રાજકોટના શેર બ્રોકર મીનીષ પટેલ ટેલિગ્રામમાં પોતાની શેર બજારની ટિપ્સ અંગેની ચેનલ ચલાવે છે.ગત 12 મે ના રોજ આ જ ટેલિગ્રામની ચેનલ પર મીનીષ પટેલે મેસેજ મૂક્યો હતો કે શેર બજારમાં કડાકાં પાછળ અમે જવાબદાર છીએ.અમે 8.50 કરોડના ખર્ચે કાળા જાદુ કરાવ્યું છે અને આ જાદુને કારણે બજાર સતત ગગડી રહ્યું છે.તેમણે એવું પણ ઉમેર્યું હતું કે કાળા જાદુ ખર્ચાળ હોય છે પરંતુ તેનું પરિણામ સચોટ હોય છે.મીનીષ પટેલે કાળા જાદુના દાવા કર્યા બાદ છ દિવસમાં બજાર સતત તૂટતું ગયું હતુ અને રોકાણકારોના 235 અબજ રૂપિયાનું ધોવાણ થયું હતું.

સેબીએ પણ તપાસ શરૂ કરી

શેરબ્રોકરના આ મેસેજથી દેશભરમાં શેરબજાર સાથે સંકળાયેલા લોકોમાં એક ખળભળાટ મચી ગયો હતો.માત્ર આ શેરબ્રોકરની ચેનલમાં 12 લાખથી વધારે લોકો જોડાયેલા હોવાથી એ મેસેજ વાયુ વેગે ફરી રહ્યો હતો જેના કારણે સેબીએ પણ આ અંગે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે.જો કે આ વાત સીધી રીતે માનવા યોગ્ય નથી પરંતુ માર્કેટની મુવમેન્ટને જોતા સેબીએ પણ ખાનગી તપાસ હાથ ધરી છે.

આ માત્ર એક મજાક હતી-મિતુલ વોરા

આ અંગે મીનીષ પટેલના સહયોગી મિતુલ વોરાએ ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે 12 મે ના દિવસે જ્યારે આ મેસેજ મુકવામાં આવ્યો હતો ત્યારે પણ તેમાં હળવી રમૂજ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ અંગે વધુમાં કહ્યું હતું કે અમે છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે જેથી બજારની મુવમેન્ટ જોતા જ તેની અસર વિશે જાણી શકીએ છીએ.આ ટિપ્સ માટે અલગ અલગ વિસ્તારોમાંથી અમારી પાસે માહિતી આપતા હોય છીએ.અમારી સચોટ ટિપ્સને કારણે લોકો અમને એવું કહેતા હોય છે કે તમે કંઇક કાળા ઘોળા કરો છો જેથી તમારી ટિપ્સ સાચી હોય છે ત્યારે અમે હળવા મૂડમાં મેસેજ મૂક્યો હતો.ટેલીગ્રામની અમારી ચેનલમાં પણ અમે આ ખુલાસો મૂકી દીધો છે કે આ એક રમૂજ હતી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">