AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ

રાજકોટમાં (Rajkot) ભાદરવા મહિને પડેલા વરસાદને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.

રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ
રાજકોટમાં રોગચાળો વકર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:12 PM
Share

ચોમાસા (Monsoon 2022) બાદ ગુજરાતભરમાં રોગચાળાએ માઝા મુકી છે. એક તરફ પહેલેથી જ કોરોના અને સ્વાઇન ફલૂ (Swine flu) જેવા રોગ ફેલાયેલા છે. તેની વચ્ચે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે. રાજકોટમાં (Rajkot) ભાદરવા મહિને પડેલા વરસાદને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી-ઉધરસ, સામાન્ય તાવ તેમજ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા છે. રોગચાળાને કાબુમાં લેવા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ

રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 9 દર્દી નોંધાયા છે. જ્યારે છેલ્લા 9 મહિનાની વાત કરીએ તો 69 દર્દી નોંધાયા છે. રોગચાળાના પગલે શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે. જોકે કોર્પોરેશનના ચોપડે ખૂબ ઓછા આંકડા દર્શાવાતા હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યૂ સિવાય તાવ, શરદી, ઉધરસ, મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વરસાદના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.

રાજકોટમાં વરસાદ બાદ ગંદકી અને કચરાના કારણે પણ બીમારીઓ વધી રહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેલેરિયાના કારણે દાદી અને પૌત્રનું મોત થયું હતું.

રાજકોટમાં રોગચાળાના કેસ

રાજકોટમાં સરકારી આંકડા અનુસાર રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યૂના 9 કેસ, મેલેરિયાના 2 કેસ, શરદી ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ અને ઝાડા-ઉલટીના 73 કેસ નોંધાયા છે. તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ રહ્યા છે. બાળકોમાં પણ રોગચાળો વધતો જઇ રહ્યો છે. રાજકોટમા રોગાચાળો વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે અને રોગચાળાને કાબુમાં લેવાની કામગીરીમાં જોતરાયુ છે.

રોગચાળાને કાબુમાં લેવા રાજકોટ મનપાની કામગીરી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએ મચ્છરોના લારવાની ચકાસણી હાથ ધરી છે. ઉપરાંત દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">