વ્યાજનું વિષચક્ર, રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના આતંક સામે કરી ફરિયાદ

મનુ ચાવડા અને યુવરાજ ડવને ચૂકવવા માટે ભરત ચાવડા અને તેના ભાઇ બાબુ પાસેથી 10 ટકા લેખે રૂ.10 લાખ લીધા હતા. તેજા જળુ પાસેથી 10 ટકા લેખે 4.50 લાખ, પપ્પુ ચાવડા પાસેથી 5 ટકા લેખે રૂ.2 લાખ લીધા હતા. આમ વ્યાજખોરોને ચૂકવવા માટે એક પછી એક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લેતા પોતે વ્યાજના વમળમાં ફસાઇ ગયો હતો.

વ્યાજનું વિષચક્ર, રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના આતંક સામે કરી ફરિયાદ
Rajkot Aaji Dam Police Station
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 31, 2023 | 8:17 PM

રાજકોટ શહેરના સરધાર ગામના અને હાલ છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેતા વિશાલ મગનલાલ ઉંજિયા નામના વેપારીએ ઉમરાળી ગામના મનુ રામ ચાવડા, યુવરાજ સુખા ડવ, ભરત વિરા ચાવડા, બાબુ વિરા ચાવડા, તેજા અમરા જળુ અને રાજકોટના પપ્પુ પ્રભાત ચાવડા એમ કુલ છ વ્યાજખોરો સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ મુજબ, તે અગાઉ ફ્રૂટનો ધંધો કરતો હતો. ધંધામાં ખાસ કમાણી ન થતાં ચાર વર્ષ પહેલાં વ્યાજખોર મનુ ચાવડા પાસેથી 10 ટકાના વ્યાજે રૂ.10 લાખ લીધા હતા. જેની સામે તેણે પોતાની સહી કરેલા ચાર ચેક તેમજ કોરા કાગળમાં સહી કરાવી હતી. ધંધાની ખોટ પૂરી કરવા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ ખોટ તો પૂરી ન થઇ શકી. મનુ ચાવડાને ચૂકવવા માટે યુવરાજ ડવ પાસેથી 10 ટકાના વ્યાજે 5 લાખ લીધા હતા.

બાદમાં મનુ ચાવડા અને યુવરાજ ડવને ચૂકવવા માટે ભરત ચાવડા અને તેના ભાઇ બાબુ પાસેથી 10 ટકા લેખે રૂ.10 લાખ લીધા હતા. તેજા જળુ પાસેથી 10 ટકા લેખે 4.50 લાખ, પપ્પુ ચાવડા પાસેથી 5 ટકા લેખે રૂ.2 લાખ લીધા હતા. આમ વ્યાજખોરોને ચૂકવવા માટે એક પછી એક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લેતા પોતે વ્યાજના વમળમાં ફસાઇ ગયો હતો.

વ્યાજખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે

બીજી તરફ ધંધો પણ સરખો ચાલતો ન હોય પોતે રાજકોટ છોડી રાજસ્થાન જતો રહ્યો હતો. બે મહિના પહેલા પરત રાજકોટ આવ્યાની છએય વ્યાજખોરોને જાણ થતા તેઓ” મારી પાસે આવી વ્યાજ અને મૂળ રકમ ચૂકવવા દબાણ કરવા લાગ્યા હતા”. જેને કારણે પોતે ફરી રાજસ્થાન જતો રહ્યો હતો. 15 દિવસ પહેલાં પોતે સરધાર આવતા ફરી બધા વ્યાજખોરો ઘરે આવી છએયે “હવે તારે અમને રૂ.84 લાખની રકમ ચૂકવવી પડશે”. અને જો પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ગુજરાત પોલીસ રાજ્યભરમાં વ્યાજખોરો સામે ખાસ અભિયાન ચલાવી રહી છે પણ શું વ્યાજખોરોના ત્રાસનું દૂષણ આ અભિયાનથી અટકશે?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ  વાંચો : Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">