Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મારા પર જે આક્ષેપો થયા છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે જેથી કંઇ બોલી શકાશે નહિ પરંતુ તપાસ ટીમને અમે તમામ માહિતી આપી છે, આ અંગે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે
લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:07 PM

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્રારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Police Commissioner Manoj Agarwal) સામે કમિશનના આક્ષેપો કર્યાના ત્રણ દિવસ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મિડીયા (Media) સામે આવ્યા હતા.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મિડીયા સામે પોતાના પર થયેલા આક્ષેપો (Allegations) ની વાતને સ્વીકારી હતી.

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મારા પર જે આક્ષેપો થયા છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે જેથી કંઇ બોલી શકાશે નહિ પરંતુ તપાસ ટીમને અમે તમામ માહિતી આપી છે.ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ સામે જે આક્ષેપો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ અંગે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મિડીયા સાથેની વાતચીત બાદ મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસના એક પછી એક અધિકારી સાથે મુલાકાત કરી હતી. સખિયા બંધુએ કરેલા આક્ષેપો બાદ પોલીસ વિરુઘ્ધ એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસબેડામાં પણ મોટાપાયે ફેરફાર થઇ શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હાઇકોર્ટના કામથી બે દિવસ બહાર હતો

મનોજ અગ્રવાલે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શનિવારે સવારે સાડા આઠ વાગ્યે જ મેં રાજકોટ છોડી દીધું હતું.હાઇકોર્ટમાં રાજકોટ પોલીસની ચાર અલગ અલગ મેટર હોવાને કારણે સોગંદનામૂ જમા કરવવાનું હતું જેથી ત્યાં વ્યસ્ત હોવાને કારણે તેઓ હાજર ન હતા.રાજકોટ છોડી દીધા બાદ આખો મામલો સામે આવ્યો અને તેથી ખુલાસો ન કરી શક્યો..

ઉચ્ચ અધિકારીઓને આક્ષેપ અંગે માહિતી આપી

મનોજ અગ્રવાલે વધુમાં કહ્યું હતુ કે ધારાસભ્યએ જે આક્ષેપો કર્યા છે તેને લઇને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા છે અને આ અંગેની માહિતી આપી છે.ઉચ્ચ કક્ષાએ આ ફરિયાદ બાદ તપાસના આદેશો આપ્યા છે ત્યારે આ અંગે જાહેરમાં કંઇ બોલવા માંગતા નથી પરંતુ અધિકારીઓને આ કેસની તમામ માહિતી આપી દેવામાં આવી છે.

શું હતો આખો મામલો

રાજકોટના સખિયા બંધુઓ દ્રારા 16 કરોડની ઉધરાણી પેટે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી,આ કેસમાં પોલીસ દ્રારા ફરિયાદી અને આરોપી બંન્ને પાસેથી કમિશન પેટે રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તે અંગે સખિયા બંધુએ ગોવિંદ પટેલને ફરિયાદ કરી હતી અને તેના આધારે ગૃહરાજ્ય મંત્રીએ ફરિયાદ નોંધવાના આદેશ કર્યો હતો.જો કે ત્યારબાદ પણ કાર્યવાહી ન થતા ધારાસભ્ય ગોવિંદ પટેલે ત્રણ દિવસ પહેલા ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો અને તે બાદ આખો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ લેટર બોમ્બનો પડઘોઃ રાજકોટ પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફારના ભણકારા! જાણો શું થઈ શકે છે ફેરફાર

આ પણ વાંચોઃ Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">