મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે, મનભેદ નથી : ગોવિંદ પટેલ

ગોવિંદ પટેલે કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાના પક્ષની ચિંતા કરે, મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે છે. પરંતુ અમારી વચ્ચે મનભેદ ક્યારેય ન હોઇ શકે. આક્ષેપ કરવો તમારો હક છે.

મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે, મનભેદ નથી : ગોવિંદ પટેલ
There may be differences between me and Vijay Rupani, not differences: Govind Patel
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:48 AM

ઇન્દ્રનીલે કરેલા આક્ષેપો સામે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યો વળતો જવાબ

Rajkot : કોંગ્રેસ દ્વારા ૫૦૦ કરોડના કૌંભાડના આક્ષેપ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન ભારદ્વાજને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વિજય રૂપાણી અને નિતીન ભારદ્વાજે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય સી.જે.ચાવડા અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ ઝંપલાવ્યું છે. રાજ્યગુરૂએ આ વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે વિજય રૂપાણીનો ગોવિંદ પટેલ અને રામ મોકરિયા પાટીલને કહીને દાવ લઇ રહ્યા છે જેનો આજે ગોવિંદ પટેલે (Govind Patel) જવાબ આપ્યો હતો.

આ અંગે ટિપ્પણી કરતા ગોવિંદ પટેલે કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાના પક્ષની ચિંતા કરે, મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે છે. પરંતુ અમારી વચ્ચે મનભેદ ક્યારેય ન હોઇ શકે. આક્ષેપ કરવો તમારો હક છે. પરંતુ તે સત્યથી નજીક હોવા જોઇએ તો લોકોને ગળે ઉતરે. પોલીસ તોડકાંડમાં રાજ્ય સરકારે જે કડક પગલાં લીધા તેનેઆડેપાટે ચડાવવાનો આપનો પ્રયાસ છે. રાજ્યગુરૂ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આપ સમજદાર છો જેથી આપ આપના પક્ષની ચિંતા કરો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાજપના જ નેતાઓ દાવ લઇ રહ્યા હોવાનો કર્યો હતો આક્ષેપ

આ અંગે રાજ્યગુરૂએ કહ્યું હતું કે કોંગ્રેસ વિરોધ પક્ષની ભુમિકામાં છે તેઓ આવા કિસ્સાઓને ઉજાગર કરે. પરંતુ આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી એકલા પડી ગયા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે જે રીતે વિજય રૂપાણી અને નિતીન ભારદ્વાજે એકચક્રી શાશન ચલાવ્યું છે તેનાથી નેતાઓમાં નારાજગી હતી. અને એટલા માટે જ રામ મોકરિયા અને ગોવિંદ પટેલ સી.આર.પાટીલને સાથે રાખીને વિજય રૂપાણીનો દાવ લઇ રહ્યા છે.

જો સાચા હોય તો કેટલી અરજીઓમાં હેતુફેર કર્યો તેનો ખુલાસો કરવાનો ફેંક્યો હતો પડકાર

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે દરેક જમીનમાં હેતુફેર થતો નથી. આ કેસમાં સહારા કંપનીને અને રૂપાણીના નજીકના લોકોને મદદ કરવા માટે રેસિડન્સમાંથી ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ફેર કરવામાં આવ્યો છે, જો વિજય રૂપાણી સાચા હોય અને નિયમ પ્રમાણે જ બધુ કર્યુ હોય તો પહેલા તેઓ એ જાહેર કરે કે હેતુફેર માટે કેટલી અરજીઓ આવી હતી. અને તેમાંથી કેટલી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવી છે, કારણ કે સામાન્ય માણસ થાકી જાય છે ત્યાં સુધી તેની જમીનનો હેતુફેર થઇ શકતો નથી.

ભ્રષ્ટાચારના પુરાવા અંગે રાજ્યગુરૂ અસ્પષ્ટ જોવા મળ્યા હતા

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આણંદપર અને નવાગામની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ તેના પુરાવા અંગે તેઓ અસ્પષ્ટ છે. તેઓએ પહેલા કહ્યું કે સમયાંતરે હું આ અંગેના પુરાવા આપીશ, બાદમાં કહ્યું કે ભ્રષ્ટાચાર વગર કોઇ કામ થતું નથી,તે જગ જાહેર વાત છે આવી વાતના પુરાવા ન હોય અને ત્યારબાદ તેઓએ કહ્યું કે લોકોને માનવું હોય તો આ વાત માને,એટલે કે રાજ્યગુરૂ પોતે પણ આ ભ્રષ્ટાચારના આક્ષેપના પુરાવા અંગે અસ્પષ્ટ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો કરાવશે શુભારંભ

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ, દરિયાકાંઠાના માછીમારોની સમસ્યા જાણવા સરકાર પ્રયાસ કરશે

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">