AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO

સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે,પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 25, 2023 | 12:20 PM
Share

Rajkot : રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં પ્રવેશદ્વારમાં જમણી બાજુ એક ઐતિહાસિક અને ખાસ બોરડી આવેલી છે. સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે.પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીની વાત જ અલગ છે આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની

સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની છે. અત્યારે જ્યાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે જગ્યાએ વાડી હતી અને આ જગ્યા શહેરની બહાર ગણાતી હતી.તે સમયના અંગ્રેજ ગવર્નર સર માલ્કમના અતિઆગ્રહના કારણે ભગવાન સ્વામિનારાયણ,નિત્યાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,અને ગુણાતિતાનંદ સ્વામી ઉપરાંત આચાર્યો રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદ પધાર્યા હતા અને આ બોરડી નીચે વસવાટ કર્યો હતો. આ બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર સર માલકમને હિતોપદેશ કહ્યા અને શિક્ષાપત્રી આપી હતી.

અને બોરડીએ પોતાના તમામ કાંટા ખેરવી નાખ્યા !

ગવર્નર સર માલ્કમને શિક્ષાપત્રી અને હિતોપદેશ આપ્યા બાદ ભગવાન વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાઘડીમાં બોરડીનો કાંટો ભરાયો અને તેઓ બોરડી સામે જોઈ બોલ્યા કે તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તેમ છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો ? અને એ જ ક્ષણે બોરડીએ પોતાના તમામ કાંટાઓ ખેરવી નાખ્યા.

લોકો આ બોરડીની કરે છે માનતા

Tv9 સાથે વાત કરતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી જણાવે છે કે આજે 200 વર્ષ જેટલો સમય થયો છતાં આ બોરડીના કાંટા આવતા નથી.પરંતુ જો આ બોરડીના બોરના ઠળિયા વાવવામાં આવે તો કાંટા વાળી બોરડી ઉગે છે. ભગવાનને મળેલો જીવ આ બોરડીની અંદર હોવાથી લોકોની આસ્થા આ બોરડી સાથે જોડાયેલી છે.લોકોને પોતાની આધિ,વ્યાધિ,ઉપાધિ કે કઈ દુઃખ હોય તો લોકો આ બોરડીની પ્રદક્ષિણાની માનતા કરે છે અને તેમના દુઃખ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">