રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO

સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે,પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

રાજકોટમાં છે ઐતિહાસિક કાંટા વગરની બોરડી, જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણએ કર્યો હતો વસવાટ, જુઓ VIDEO
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 25, 2023 | 12:20 PM

Rajkot : રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં પ્રવેશદ્વારમાં જમણી બાજુ એક ઐતિહાસિક અને ખાસ બોરડી આવેલી છે. સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે.પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડીની વાત જ અલગ છે આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની

સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની છે. અત્યારે જ્યાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે જગ્યાએ વાડી હતી અને આ જગ્યા શહેરની બહાર ગણાતી હતી.તે સમયના અંગ્રેજ ગવર્નર સર માલ્કમના અતિઆગ્રહના કારણે ભગવાન સ્વામિનારાયણ,નિત્યાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,અને ગુણાતિતાનંદ સ્વામી ઉપરાંત આચાર્યો રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદ પધાર્યા હતા અને આ બોરડી નીચે વસવાટ કર્યો હતો. આ બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર સર માલકમને હિતોપદેશ કહ્યા અને શિક્ષાપત્રી આપી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અને બોરડીએ પોતાના તમામ કાંટા ખેરવી નાખ્યા !

ગવર્નર સર માલ્કમને શિક્ષાપત્રી અને હિતોપદેશ આપ્યા બાદ ભગવાન વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાઘડીમાં બોરડીનો કાંટો ભરાયો અને તેઓ બોરડી સામે જોઈ બોલ્યા કે તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તેમ છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો ? અને એ જ ક્ષણે બોરડીએ પોતાના તમામ કાંટાઓ ખેરવી નાખ્યા.

લોકો આ બોરડીની કરે છે માનતા

Tv9 સાથે વાત કરતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી જણાવે છે કે આજે 200 વર્ષ જેટલો સમય થયો છતાં આ બોરડીના કાંટા આવતા નથી.પરંતુ જો આ બોરડીના બોરના ઠળિયા વાવવામાં આવે તો કાંટા વાળી બોરડી ઉગે છે. ભગવાનને મળેલો જીવ આ બોરડીની અંદર હોવાથી લોકોની આસ્થા આ બોરડી સાથે જોડાયેલી છે.લોકોને પોતાની આધિ,વ્યાધિ,ઉપાધિ કે કઈ દુઃખ હોય તો લોકો આ બોરડીની પ્રદક્ષિણાની માનતા કરે છે અને તેમના દુઃખ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">