રાજકોટમાં શ્વાને બાળકીનો જીવ લીધા બાદ જાગ્યુ તંત્ર, અગાઉ ફરિયાદ કરવા છતા ન કરાઈ કોઈ કામગીરી

રાજકોટના રસ્તાઓ પર એક એવો આતંક રખડી રહ્યો છે કે જે રોજ લોકોને શિકાર બનાવી રહ્યો છે. આ આતંકથી લોકો ત્રાહિમામ છેએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર કાર્યવાહીની વાતો કરે છે જેનાથી જમીની હકીકત ઘણી વેગળી છે.

Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 07, 2023 | 11:57 PM

રાજકોટમાં રસ્તા પર રીતસરનો આતંક રખડી રહ્યો છે. શ્વાનને આતંક કહેવા પાછળનું કારણ પણ છે. ગઈકાલે એક માસૂમ 4 વર્ષની બાળકીને શ્વાનોએ ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો. શ્વાનોના આ હુમલામાં બાળકી એટલી હદે ઘાયલ થઈ હતી કે તેનું મોત નિપજ્યું. કલ્પના કરો કહેવાતા વિકાસશીલ રાજ્યમાં શ્વાન કરડવાથી બાળકો મોતને ભેટી રહ્યા છે અને તંત્ર મૂક પ્રેક્ષકની મુદ્રામાં તમાશો જોઈ રહ્યુ છે. શ્વાનોના હુમલા થાય અને તેમાં માસૂમ બાળકો પિખાઈને જીવ ગુમાવે છે.

ફરિયાદ કરી તો તંત્ર દ્વારા મળ્યો ઉડાઉ જવાબ- ‘કૂતરુ કરડે પછી આવીશુ’

એવું નથી કે સ્થાનિકોએ ફરિયાદ ના કરી હોય. અહિં આ જ જગ્યાની અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન એવા ઉડાઉ જવાબ આપે છે કે કોઈને કુતરુ કરડે પછી આવીશું. તેમાં પણ ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરશો તો જ ટીમ શ્વાન પકડવા આવશે નહીં તો તેને રખડવા દેવાશે. આ ઉડાઉ જવાબ આપનારાની આળસે એક માસુમનો જીવ લીધો. કારણ કે શ્વાન એવા કરડ્યા ટીમ પકડવા આવે તે પહેલા જીવ જતો રહ્યો. લોકોનું કહેવું છે કે સરકારે ખરેખર કામ કરવું જોઈએ. આ ત્રાસ ઓછો થવો જ જોઈએ કારણ કે કૂતરા નહી પકડાય તો જોખમ ચાલુ જ રહેશે.

બાળકીના મોત બાદ કોર્પોરેશનની ટીમ શ્વાન પકડવા પહોંચી

સ્થાનિકો સતત ચિંતામાં છે. તેમનું માનવું છે કે પુષ્કળ કચરો અને શ્વાનની વધતી સંખ્યા તેમને રોજ ચિંતામાં મૂકી દે છે. જોકે સમગ્ર ઘટના બાદ હવે રહી રહીને કોર્પોરેશનની ટીમ હરકતમાં આવી શ્વાન પકડવા અલગ અલગ ટીમો મોકલી છે. હવે ઘટના ઘટ્યા પછી કાર્યવાહીની વાતો થઈ રહી છે પરંતુ જો પહેલા કામગીરી હાથ ધરી હોત તો નિર્દોષ બાળકીનો જીવ ના ગયો હોત. આ સમગ્ર ઘટનામાં તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે …

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  • શું RMC કાર્યવાહી માટે બાળકીના મોતની રાહ જોઈ રહ્યું હતુ ?
  • રોજ મળતી ફરિયાદો પર કામ કેમ નથી થતુ ?
  • બાળકીના મોત પાછળ જવાબદાર કોણ ?
  • શું શ્વાન પકડવાની કાર્યવાહી રોજિંદી ના હોય શકે ?
  • સતત વધતા ત્રાસનું સમાધાન શું ?
  • લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે ખરૂ?

આ તમામ સવાલો છે કે જેના જવાબ મળવા જરૂરી છે. આ સ્થિતિમાં RMCએ જાતે વિચારવું પડશે કે ખરા અર્થમાં તેમની બેદરકારીએ જ બાળકીનો ભોગ લીધો છે. જો ફરિયાદ થઈ ત્યારે પગલા લેવાયા હોત તો આજે બાળકી કદાચ જીવતી હોત.

આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકના વધતા કેસને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે યોજ્યો કેમ્પ- જુઓ તસ્વીરો

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">