AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન, તાજમહેલના સ્થાને હવે વિદેશીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે

સી આર પાટીલે પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યુ હતુ કે પહેલાના સમયમાં વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાની નોંધમાં લખતા હતા કે તેઓ તાજમહેલ જોવા ભારતમાં આવ્યા છે. જો કે હવે આ વિદેશી પ્રવાસીઓ નોંધમાં લખે છે કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યા છે.

BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન, તાજમહેલના સ્થાને હવે વિદેશીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 3:15 PM
Share

Rajkot :  ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.

જો કે હવે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) જોવા માટે આવે છે. તેમણે જણાવ્યુ હતુ કે નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા આવેલી છે. જ્યારે આગ્રામાં 17મી સદીના મધ્યમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલ વિશ્વની અજાયબીઓમાંની એક માનવામાં આવે છે.

આ પણ વાંચો- Gujarati News : ઈરાનમાં અમદાવાદી દંપતીને બંધક બનાવવાનો કેસમાં બંને એજન્ટને પૂછપરછ બાદ છોડી દેવાયા

સી આર પાટીલે પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યુ હતુ કે પહેલાના સમયમાં વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાની નોંધમાં લખતા હતા કે તેઓ તાજમહેલ જોવા ભારતમાં આવ્યા છે. જો કે હવે આ વિદેશી પ્રવાસીઓ નોંધમાં લખે છે કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યા છે. વિદેશીઓ મહાન વ્યક્તિની પ્રતિમા અને આપણા રાષ્ટ્રનું ગૌરવ જોવા આવે છે.

તેમણે જણાવ્યુ હતુ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને PM મોદીએ અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન એવા સરદાર પટેલને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે જણાવ્યુ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રાતોરાત 562 રજવાડાઓને એક કર્યા અને ‘અખંડ ભારત’ (અવિભાજિત ભારત)ની રચના કરી. અખંડ ભારત બનાવવાનું શ્રેય જો કોઈને જાય તો તે સરદાર વલ્લભભાઈ પટેલ છે. તેમની પ્રતિમા તેમની ‘પ્રતિભા’ (પ્રતિભા) ના પ્રમાણમાં હોવી જોઈએ અને તેથી, નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષના શાસનની સિદ્ધિઓને ઉજાગર કરવાના ભાગરૂપે ગુરુવારે રાજકોટમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધન કર્યુ હતુ. આ બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયા, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">