આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

આજે ધોળીધજા ડેમ ખાતેથી ત્રંબા થઇને નર્મદાના પાણી આજી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, શરૂઆતના તબક્કે 750 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવવામાં આવશે જેથી ચોમાસામાં કોઇ મુશ્કેલી નહિ પડે

આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં
ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:36 PM

રાજકોટ (Rajkot) માં મર્યાદિત પાણીના સ્ત્રોત હોવાને કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા આધારિત થઇ જાય છે. આ વર્ષે પણ સમય સર નર્મદાનું પાણી ન પહોંચાડવામાં આવ્યું હોત તો શહેરમાં જળસંકટ ઉભું થાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જો કે રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાની માંગને સ્વીકારીને આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરી દીધી છે.

આજે ધોળીધજા ડેમ ખાતેથી ત્રંબા થઇને નર્મદાના પાણી આજી ડેમ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. શરૂઆતના તબક્કે 750 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવવામાં આવશે જેથી ચોમાસામાં કોઇ મુશ્કેલી નહિ પડે.આજી બાદ 350 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં પણ ઠાલવવામાં આવશે.

ચોમાસા સુધીનું જળસંકટ થયું દૂર-મેયર

આ અંગે મેયરે કહ્યું હતું કે રાજકોટની પાણીની સ્થિતિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને માહિતગાર કરવામાં આવ્યા હતા અને નર્મદાના નીરની માંગ કરવામાં આવી હતી જેને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય લઇને રાજકોટને નર્મદાના નીર પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. બુધવાર સુધીમાં આ પાણી આજી ડેમમાં પહોંચી જશે. આ પાણી આવવાથી ચોમાસા સુધી નિયમીત 20 મિનીટ પાણી આપી શકાશે.આ પાણી આવવાથી શહેરનું જળસંકટ હળવું થયું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

90 લાખના બિલની સિંચાઇ વિભાગે ઉઘરાણી કરી હતી

નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે. કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પાણી મળે તે પહેલા ભુતકાળનું બિલ ચુકતે કરવા કહેવામાં આવ્યું છે. જો કે સરકારે પાણીનું બિલ વહિવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે.

આજીમાં 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી, 1050 એમસીએફટી પાણીની માંગ

રાજકોટને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં 355 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 10 માર્ચ સુધી ચાલશે. ન્યારી 1 ડેમમાં 845 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 30 જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ્યારે ભાદર 1 ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે. રાજ્ય સરકાર પાસેથી મનપાએ 1050 એમસીએફટી પાણીનો જથ્થાની માંગ છે જેમાં 700 એમસીએફટી પાણી આજી 1 ડેમમાં અને 350 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઢાલવવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ ખાદ્ય તેલમાં એક જ દિવસમાં રુપિયા 20થી 40 સુધીનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રુપિયા નજીક પહોંચ્યો

આ પણ વાંચોઃ Ahmedabad: વૈષ્ણોદેવી મંદિર પાસેના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી, બેથી ત્રણ કાર બેઝમેન્ટ પાર્કિંગના ખાડામાં ગરકાવ થઈ ગઈ

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">