Rajkot: વિદ્યાર્થિનીઓની અનોખી પહેલ, ઘરે ઘરે મુલાકાત લઈ દિકરીઓના નામની તખ્તી મુકાઇ

Rajkot News : આ શિબિરમાં ગ્રામ્યની સંસ્કૃતિ અને પરંપરા વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થિનીઓએ પણ વડિલ વંદના, વિધાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.

Rajkot: વિદ્યાર્થિનીઓની અનોખી પહેલ, ઘરે ઘરે મુલાકાત લઈ દિકરીઓના નામની તખ્તી મુકાઇ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 17, 2023 | 1:26 PM

રાજકોટના શહેરી વિસ્તારોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વિશે માહિતગાર થાય, ત્યાંની સંસ્કૃતિ અને પરંપરા વિશે માહિતગાર થાય તે હેતુથી કે. એસ. કણસાગરા કોલેજ દ્વારા ઉપલેટાના પ્રાંસલા ખાતે પાંચ દિવસીય ગ્રામિણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામ્યની સંસ્કૃતિ અને પરંપરા વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીનીઓએ પણ વડિલ વંદના, વિધાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હતા.

બેટી બચાવો બેટી પઢાવોનો અનોખી રીતે સંદેશો આપ્યો

રાજકોટથી પ્રાંસલા ગયેલા વિદ્યાર્થિનીઓની ટુકડી દ્વારા ગામમાં બેટી બચાવો બેટી પઢાવોનો અદ્દભૂત સંદેશો આપ્યો હતો. વિદ્યાર્થિનીઓેએ ગામમાં ઘરે ઘરે મુલાકાત લીધી હતી. જે ઘરમાં દિકરી રહેતી હોય તેના નામની તક્તી ઘરની બહાર લગાડવામાં આવી હતી. ખરા અર્થમાં દિકરી ઘરની શોભા છે અને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો.

વડીલોને સ્ટીક વિતરણ,કપડાં વિતરણ કરાયા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પાંચ દિવસીય શિબિર દરમિયાન કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ગ્રામલોકોએ સાથે મળીને અનેક કાર્યક્રમો કર્યા હતા. જેમાં ગામના પાદરે વડીલોને સ્ટીક વિતરણ, વડીલ વંદના કાર્યક્રમ, કપડાં વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ગામમાં સાસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

પાંચ દિવસીય શિબિર આચાર્ય રાજેશ કાલરિયા,સમાજકલ્યાણ વિભાગના અધ્યક્ષ નેહા ચૌહાણ અને ભવદિપ ત્રિવેદી દ્વારા આ શિબિરનું સફળ આયોજન કરાયું હતુ અને ગામના પ્રાથમિક શાળાના આચાર્ય અને સરપંચે પણ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મહત્વનું છે કે એક તરફ રાજકોટમાં વિદ્યાર્થિનીઓ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર સાર્થક કરવા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગઇકાલે રાજકોટની ભરાડ સ્કૂલમાં ધોરણ -10ની આજની પરીક્ષામાં  પેટા સપ્લીમેન્ટરી મોડી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.  ગણિતના પેપરમાં પેટા સપ્લીમેન્ટરી 10થી 15 મિનિટ મોડી આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ 10થી 15 મિનિટ રાહ જોઇને બેસી રહેવુ પડ્યું હતુ અને સમયસર પેટા સપ્લીમેન્ટરી લઇ લેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">