Rajkot : રાજ્યમાં વ્યાજખોરનો આતંક યથાવત ! ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે 5 વ્યાજખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે તેને જુદાં જુદાં લોકો પાસેથી જુદા જુદા સમયે આશરે 20-21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સવાઈ દોઢી રકમ આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.

Rajkot : રાજ્યમાં વ્યાજખોરનો આતંક યથાવત ! ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે 5 વ્યાજખોર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Rajkot The terror of usurers continues in the state A complaint was registered against usurer in Moonga Vavadi village of Gondal taluk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 11:35 AM

ગુજરાતમાં પોલીસે વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આવી જ એક ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે રહેતા યુવાન દ્વારા ધંધાની જરૂરિયાત માટે જુદા જુદા સમયે પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું તેને નિશ્ચિત કર્યા કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા પણ વારંવાર વ્યાજખોરો ગેરવર્તન કરી ધાકધમકી આપતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Gujarati Video : લો બોલો ! હવે રાજકોટના ઉપલેટામાં ઠેર-ઠેર ડિજિટલ જુગારધામની હાટડીઓ ખુલી, Videoમાં કેદ થયા દ્રશ્યો

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મળતી માહિતી મુજબ મૂંગા વાવડી ગામે રહેતા મેહુલ તુલસીભાઈ વોરા એ નિખિલ ભીમજીભાઇ કોરાટ, પંકજ સાવલિયા, ભરત દિલીપભાઈ પરમાર, કલ્પેશ લોઢા ફુલવાળા અને અનિલ લુણાગરિયા વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં વ્યાજ અંગે પઠાણી ઉઘરાણી ની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 384, 504, 114 તથા નાણા અધિનિયમ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે તેને જુદાં જુદાં લોકો પાસેથી જુદા જુદા સમયે આશરે 20-21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સવાયા દોઢા રકમ આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી શરૂ રાખી હતી અને છાસવારે ગેર શબ્દો બોલી ધાક ધમકી આપવામાં આવતી હતી જેના કારણે ના છૂટકે તેઓને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

બનાસકાંઠામા વ્યાજખોરીની ઘટના સામે આવી

બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી. લવાણા ગામના ગેરેજ માલિકે નવ માસ પહેલા રુ.60 હજારના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે રુ. 1.85 લાખ પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હતો.

પોલીસ અધિકારીઓની તપાસના આદેશ આપ્યા

આ અગાઉ પણ બનાસકાંઠાના વડગામમાં પોલીસે વધુ બે વ્યાજખોરોને ઝડપ્યા હતા. પરેશ સોની અને દિલીપ સોની નામના વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ 39 જેટલી ફરિયાદ મળી ચૂકી હતી. પોલીસે વ્યાજખોરોના ઘરે સર્ચ કરી 100 કોરા ચેક, 48 પ્રોમિસરી નોટ, 11 નોટરી કરાર, 2 લાખ રોકડા જપ્ત કર્યા હતા.

આ સાથે પોલીસે સહી-અંગુઠા કરેલી કોરી પ્રોમિસરી નોટ તથા 10 લોકોની કોરા કાગળ પર સહીઓ પણ કબજે કરી હતી. હાલ તો પોલીસે બંન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">