AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ

Rajkot News : રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઇને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 07, 2023 | 5:01 PM
Share

રાજકોટ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે શિયાળું પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વેમાં સૌથી વધારે નુકસાન જસદણ તાલુકામાં થયું છે.

જસદણમાં સૌથી વધારે નુકસાન-ડીડીઓ

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાન અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકા પૈકી જસદણ અને કોટડાસાંગાણીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે. આજે વહેલી સવારથી જ ખેતીવાડી વિભાગની ટીમ જસદણ તાલુકાની મુલાકાતે હતી. જેમાં 14 જેટલા ગામડાંઓમાં ચણા અને ઘઉંના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ જ રીતે 14 જેટલી ટીમો દ્વારા જિલ્લામાં જે સ્થળોએ નુકસાન થયું છે ત્યાં સર્વે હાથ ધરવામાં આવશે.હાલમાં શિયાળું સિઝન પુરી થવામાં હતી જેથી મોટાભાગના ખેડૂતોએ પોતાનો ઉભો પાક લણી લીધો હતો જેથી નુકસાની ઓછી થઇ છે.

માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રાખવા અપીલ-ડીડીઓ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે દરેક ગામમાં ખેડૂતોને ખેતરમાં ખુલ્લામાં તૈયાર જણસ ન રાખવાની અપીલ કરી છે. સાથે સાથે જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે વાર્તાલાપ કરીને કોઇપણ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રહે તે માટેની સૂચના આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીને જોતા ખાસ તકેદારી રાખવા માટેની અપીલ કરી છે.

મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય આપવાની માગ-ખેડૂત આગેવાન

કમોસમી વરસાદ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માગ કરી છે. દિલીપ સખિયાએ કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાય ગયો છે, ત્યારે સરકારે મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવવી જોઇએ. હાલમાં ખેડૂતોને ઘઉં,ધાણા,જીરૂ અને સોરઠમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સહાય ચૂકવવામાં આવે તેવી માગ છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">