AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ

Rajkot News : રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઇને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી રાજકોટના તાલુકાઓમાં સૌથી વધારે નુકસાન, સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 07, 2023 | 5:01 PM
Share

રાજકોટ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે શિયાળું પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે નુકસાની અંગે સર્વેની જાહેરાત કરતાની સાથે જ રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 11 તાલુકાઓમાં પડેલા વરસાદને લઈને સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વેમાં સૌથી વધારે નુકસાન જસદણ તાલુકામાં થયું છે.

જસદણમાં સૌથી વધારે નુકસાન-ડીડીઓ

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાન અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકા પૈકી જસદણ અને કોટડાસાંગાણીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે. આજે વહેલી સવારથી જ ખેતીવાડી વિભાગની ટીમ જસદણ તાલુકાની મુલાકાતે હતી. જેમાં 14 જેટલા ગામડાંઓમાં ચણા અને ઘઉંના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ જ રીતે 14 જેટલી ટીમો દ્વારા જિલ્લામાં જે સ્થળોએ નુકસાન થયું છે ત્યાં સર્વે હાથ ધરવામાં આવશે.હાલમાં શિયાળું સિઝન પુરી થવામાં હતી જેથી મોટાભાગના ખેડૂતોએ પોતાનો ઉભો પાક લણી લીધો હતો જેથી નુકસાની ઓછી થઇ છે.

માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રાખવા અપીલ-ડીડીઓ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકો મારફતે દરેક ગામમાં ખેડૂતોને ખેતરમાં ખુલ્લામાં તૈયાર જણસ ન રાખવાની અપીલ કરી છે. સાથે સાથે જિલ્લાના દરેક માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે વાર્તાલાપ કરીને કોઇપણ યાર્ડમાં ખુલ્લામાં જણસ ન રહે તે માટેની સૂચના આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીને જોતા ખાસ તકેદારી રાખવા માટેની અપીલ કરી છે.

મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ સહાય આપવાની માગ-ખેડૂત આગેવાન

કમોસમી વરસાદ અંગે ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માગ કરી છે. દિલીપ સખિયાએ કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાય ગયો છે, ત્યારે સરકારે મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સહાય ચૂકવવી જોઇએ. હાલમાં ખેડૂતોને ઘઉં,ધાણા,જીરૂ અને સોરઠમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સહાય ચૂકવવામાં આવે તેવી માગ છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">