AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video

રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ અપાઈ છે. તેમ છતાં રહીશોએ આવાસ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં છે.

Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:15 PM
Share

જામનગરમાં સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસ ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા હતા.ત્યારે રાજકોટમાં પણ ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક આવાસો તો 50 વર્ષ જૂના હોવાનું અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં પણ હોવાનું સામે આવ્યું છે.ત્યારે જો ચોમાસામાં કોઈ આવાસો ધરાશાયી થયા તો મનપા વાકમાં ન આવે તે માટે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લોકોએ આવાસ ખાલી ન કરતા મનપા દ્વારા નળ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા

આકાશવાણી ચોક પાસે આવેલા હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસમાં નોટિસ બાદ ખાલી ન કરાતા મનપા દ્વારા તેમના નળ અને ગટર કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેથી પાણી વગર અને ગટરના પાણીનો નિકાલ ન થતાં લોકો આવાસ ખાલી કરી દે. આવાસમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ જાય તો જાય ક્યાં? સરકાર પાસે આવાસના લોકો માગ કરી રહ્યા છે કે તેઓ માટે કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

તાત્કાલિક ખાલી કરવાની નોટિસો અપાઇ,લોકોએ કહ્યું અમે ક્યાં જઈએ?

જો કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપાનો વાક ન આવે તે માટે મનપા દ્વારા તમામ જર્જરીત આવાસ યોજનાઓમાં નોટિસ આપીને ખાલી કરવાનું જણાવાઈ રહ્યું છે. જેથી કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપા પાસે બહાનું હોય કે તેમણે તો ખાલી કરાવવા નોટિસ આપી હતી. અચાનક આવાસ ખાલી કરવાની નોટિસો અપાતા આવાસના ગરીબ લોકો મુસીબતમાં મુકાયા છે અને કહી રહ્યા છે કે તેઓ અચાનક પોતાના મકાન ખાલી કરીને ક્યાં જાય?8 થી 10 હજાર મકાનના ભાડા ચાલી રહ્યા છે.

આ પણ વાંચો  : આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત ભરૂચ, સુરત, વલસાડ. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

આવાસમાં રહેતા મોટા ભાગના લોકો મહિને 10 થી 12 હજાર કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.ત્યારે આવાસના લોકોએ માગ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા મનપા દ્વારા તેઓ માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જુના આવાસોને પાડીને તેની જગ્યાએ નવા આવાસો બનાવવામાં આવે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">