AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video

રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ અપાઈ છે. તેમ છતાં રહીશોએ આવાસ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં છે.

Rajkot: હાઉસીંગ બોર્ડના મકાનોને નોટિસ છતાં રહીશોએ ખાલી ન કરતા મનપાએ નળ અને ગટર કનેક્શન કાપી નાખ્યાં, જુઓ Video
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:15 PM
Share

જામનગરમાં સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસ ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા હતા.ત્યારે રાજકોટમાં પણ ગુજરાત હાઉસીંગ બોર્ડના અનેક આવાસ યોજનાઓ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક આવાસો તો 50 વર્ષ જૂના હોવાનું અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં પણ હોવાનું સામે આવ્યું છે.ત્યારે જો ચોમાસામાં કોઈ આવાસો ધરાશાયી થયા તો મનપા વાકમાં ન આવે તે માટે મનપા દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લોકોએ આવાસ ખાલી ન કરતા મનપા દ્વારા નળ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા

આકાશવાણી ચોક પાસે આવેલા હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસમાં નોટિસ બાદ ખાલી ન કરાતા મનપા દ્વારા તેમના નળ અને ગટર કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેથી પાણી વગર અને ગટરના પાણીનો નિકાલ ન થતાં લોકો આવાસ ખાલી કરી દે. આવાસમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ જાય તો જાય ક્યાં? સરકાર પાસે આવાસના લોકો માગ કરી રહ્યા છે કે તેઓ માટે કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

તાત્કાલિક ખાલી કરવાની નોટિસો અપાઇ,લોકોએ કહ્યું અમે ક્યાં જઈએ?

જો કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપાનો વાક ન આવે તે માટે મનપા દ્વારા તમામ જર્જરીત આવાસ યોજનાઓમાં નોટિસ આપીને ખાલી કરવાનું જણાવાઈ રહ્યું છે. જેથી કોઈ આવાસ ધરાશાયી થાય તો મનપા પાસે બહાનું હોય કે તેમણે તો ખાલી કરાવવા નોટિસ આપી હતી. અચાનક આવાસ ખાલી કરવાની નોટિસો અપાતા આવાસના ગરીબ લોકો મુસીબતમાં મુકાયા છે અને કહી રહ્યા છે કે તેઓ અચાનક પોતાના મકાન ખાલી કરીને ક્યાં જાય?8 થી 10 હજાર મકાનના ભાડા ચાલી રહ્યા છે.

આ પણ વાંચો  : આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત ભરૂચ, સુરત, વલસાડ. દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

આવાસમાં રહેતા મોટા ભાગના લોકો મહિને 10 થી 12 હજાર કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.ત્યારે આવાસના લોકોએ માગ કરી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા મનપા દ્વારા તેઓ માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને જુના આવાસોને પાડીને તેની જગ્યાએ નવા આવાસો બનાવવામાં આવે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">