AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
PM Modi Gujarat Visit Rajkot Lokarpan
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 26, 2023 | 8:30 PM
Share

Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)27 જુલાઇના રોજ રાજકોટ આવી રહ્યા છે.ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આવતીકાલે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ તેઓ આપવા જઈ રહ્યા છે.આવતીકાલે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે.આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.

આવતીકાલે બપોરે પીએમ મોદી રાજકોટ આવી પહોંચશે અને તેમનું વિમાન હિરાસર ખાતે નવનિર્મિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થશે.ત્યારે પીએમ મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ  મુજબ છે.

વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  • 3.10 PM- હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન
  • 3.15 PM-બાયરોડ એરપોર્ટ ટર્મીનલ બિલ્ડીંગ પર પહોંચશે
  • 3.15 થી 3.30 PM- એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે
  • 3.40 PM -ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે
  • 3.45 PM -રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ આવવા રવાના થશે
  • 4.05 PM -રાજકોટ એરપોર્ટ પર આગમન
  • 4.10 PM -રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે
  • 4.15 PM -રેસકોર્ષ સભાસ્થળ પર આગમન
  • 4.15 થી 5.30 PM- રેસકોર્ષ ગ્રાઉન્ડથી KKV ચોક ઓવરબ્રિજ અને સૌની યોજનાનું લોકાર્પણ અને જનસભા સંબોધશે
  • 5.30 PM -રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે
  • 5.40 PM -રાજકોટ એરપોર્ટથી બોઈંગમાં અમદાવાદ જવા રવાના થશે
  • 6.30 PM -અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3 હજાર પોલીસકર્મીઓ રહેશે ખડેપગે

વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
g clip-path="url(#clip0_868_265)">