Ahmedabad: ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના, અમદાવાદ ટ્રાફિક JCP એ કહ્યુ-તપાસ પૂર્ણતાના આરે, જુઓ Video
Iskcon Bridge Accident: પોલીસ દ્વારા આરોપી કાર ચાલક તથ્ય પટેલના મિત્રોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને આ સાથેના તમામ પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. ઘટનામાં 9 લોકોનો મોત અકસ્માતમાં નિપજ્યા હતા.
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ અંતિમ તબક્કામાં પહોંચી છે. તપાસ સમાપ્ત થતા જ હવે આગામી 24 કલાકમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તપાસ અધિકારી દ્વારા તપાસ મહંદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. ફોરેન્સિક તપાસ અને ટેકનિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. માત્ર એક જ સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવાનુ શરુઆતમાં જ કહેવામાં આવ્યુ હતુ. આરોપીને આકરી સજા કરાવવા માટે થઈને પોલીસે આ માટે તમામ પાસાઓ સાથે તપાસ હાથ ધરીને ઘટનાના પૂરાવાઓ મેળવવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આરોપી કાર ચાલક તથ્ય પટેલના મિત્રોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને આ સાથેના તમામ પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. ઘટનામાં 9 લોકોનો મોત અકસ્માતમાં નિપજ્યા હતા. ઘટનાની તપાસ હવે પૂર્ણ થઈ હોવાને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જેસીપી નરેન્દ્ર ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી.
આ પણ વાંચોઃ India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ