AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે માનવ વધનો ગુનો નોંધ્યો છે.

ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના
રાજકોટમાં યુવકનું ખાડામાં પડતા મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 2:27 PM
Share

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ થતા મહાનગરપાલિકા પાસે જવાબ માગ્યો હતો, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. પોલીસે મનપા પાસે જવાબ માગતા મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી છે. જે સમગ્ર કેસમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરશે.

રાજકોટ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. જે પછી પોલીસે આ કેસમાં મહાનગરપાલિકાની કામગીરીને મામલે જવાબ માગ્યો હતો.

ત્યારે રાજકોટ મ્યુનિસીપલ કમિશનરે આખરે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ પાસે કોણે અને કોની મંજૂરીથી ખાડો ખોધ્યો હતો તે અંગે તપાસ કરશે, સાથે જ ખાડા ખોધ્યા બાદ બેરિકેટિંગની વ્યવસ્થા કોની જવાબદારી છે તે અંગે પણ તપાસ કરાશે.

ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

સમગ્ર ઘટના જોઇએ તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ગટરની કામગીરી ચાલી રહી હતી. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડા પાસે કોઇ બેરિકેટ મુકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. શુક્રવારે સવારે હર્ષ બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો, તે સમયે ખાડામાં પટકાયો હતો.

ખાડામાં રહેલા સળિયા માથામાં વાગતાં હર્ષનું મોત થયું. જે બાદ હર્ષના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ મનપા દ્વારા ખાડો ખોદવાની કામગીરી દરમ્યાન બેજવાબદારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે શહેરમાં આડેધડ ખોદવામાં આવતા ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

Follow Us
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">