AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે માનવ વધનો ગુનો નોંધ્યો છે.

ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના
રાજકોટમાં યુવકનું ખાડામાં પડતા મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 2:27 PM
Share

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ થતા મહાનગરપાલિકા પાસે જવાબ માગ્યો હતો, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. પોલીસે મનપા પાસે જવાબ માગતા મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી છે. જે સમગ્ર કેસમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરશે.

રાજકોટ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. જે પછી પોલીસે આ કેસમાં મહાનગરપાલિકાની કામગીરીને મામલે જવાબ માગ્યો હતો.

ત્યારે રાજકોટ મ્યુનિસીપલ કમિશનરે આખરે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ પાસે કોણે અને કોની મંજૂરીથી ખાડો ખોધ્યો હતો તે અંગે તપાસ કરશે, સાથે જ ખાડા ખોધ્યા બાદ બેરિકેટિંગની વ્યવસ્થા કોની જવાબદારી છે તે અંગે પણ તપાસ કરાશે.

ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

સમગ્ર ઘટના જોઇએ તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ગટરની કામગીરી ચાલી રહી હતી. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડા પાસે કોઇ બેરિકેટ મુકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. શુક્રવારે સવારે હર્ષ બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો, તે સમયે ખાડામાં પટકાયો હતો.

ખાડામાં રહેલા સળિયા માથામાં વાગતાં હર્ષનું મોત થયું. જે બાદ હર્ષના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ મનપા દ્વારા ખાડો ખોદવાની કામગીરી દરમ્યાન બેજવાબદારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે શહેરમાં આડેધડ ખોદવામાં આવતા ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">