AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારીબાપુએ કહી આ વાત, જુઓ Video

Rajkot: હાલમાં બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રી ઘણા ચર્ચામાં છે. તેમના દરબારમાં ચમત્કારોના કારણે તેઓ થોડા વિવાદમાં પણ આવ્યા હતા. આ ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા રામકથાકાર મોરારાબાપુએ શું કહ્યુ એ વાંચો અહીં.

Rajkot: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારીબાપુએ કહી આ વાત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 11:54 PM
Share

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દેશમાં અનેક દરબાર થઇ રહ્યાં છે. તેમની લોકચાહના વધી રહી છે જેને લઇને કથાકાર મોરારી બાપુને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય નથી. સાંભળીએ મોરારી બાપુએ તેમના વિશે શું કહ્યું.

જો કે આપને કહી દઇએ કે 9 માસ પૂર્વે યોજાયેલ મોરારી બાપુની રામ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યું હતું તેનો એક વીડિયો સામે આવ્યો છે. કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી, પ્રવર્તમાન તુલસી કહી સંબોધિત કર્યા હતા. વ્યાસ પીઠ નજીક ઉભા રહીને કથામાં પોતાનું પ્રવચન પણ આપ્યું હતું. બુંદેલખંડ ખાતે ચાલી રહેલી કથામાં મોરારી બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ આપ્યું હતું . પરંતુ મોરારીબાપુને ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે સવાલ કરતા મોરારીબાપુ એ કહ્યું કે, મને બહુ પરિચય નથી.

રાજકોટમાં પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેમણે આ પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે આ નિવેદન આપ્યુ હતુ. ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા તેમણે કહ્યુ મને બહુ પરિચય નથી. જોકે બાપુની જ રામ કથામાં 9 મહિના પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યુ હતુ. અને તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: Amreli : વૃદ્ધ તથા જરૂરિયાતમંદો માટે બનશે નિ:શુલ્ક આશ્રયસ્થાન, મોરારીબાપુની ઉપસ્થિતિમાં તપોવન આશ્રમના નિર્માણ માટે કરવામાં આવ્યું શીલા પૂજન 

મોરારી બાપુના હસ્તે  તપોવન આશ્રમની શીલા પૂજન વિધી કરવામાં આવી હતી

આ પૂર્વે જાન્યુઆરી માસમાં અમરેલીના ધારી રોડ ગાવડકા ચોકડી પાસે મોરારી બાપુના હસ્તે  તપોવન આશ્રમની શીલા પૂજન વિધી કરવામાં આવી હતી.  શિલાન્યાસ વિધી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાથી માંડીને દિલીપ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તપોવન આશ્રમના નિર્માણ  બાદ તેમાં 500 જેટલા વૃદ્ધો અને જરૂરિયાતમંદોને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે, શીલા પૂજન બાદ 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">