AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરેશિયસના પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ-શો યોજાયો, તલવાર રાસ-આદિવાસી નૃત્ય આકર્ષણના કેન્દ્ર, રાજકોટવાસીઓએ ઝીલ્યું અભિવાદન

એરપોર્ટથી એક કિલોમીટર સુધી મોરેશિયસના પ્રધાનમંત્રીનો (PM Pravind Kumar Jugannath) રોડ શો યોજાયો હતો,જેમાં અલગ-અલગ સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

મોરેશિયસના પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ-શો યોજાયો, તલવાર રાસ-આદિવાસી નૃત્ય આકર્ષણના કેન્દ્ર, રાજકોટવાસીઓએ ઝીલ્યું અભિવાદન
Rajkot: Mauritius Prime Minister Pravind Kumar Jugannath's grand road show was held
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 18, 2022 | 7:05 PM
Share

રાજકોટમાં (Rajkot) આજે મોરેશિયસના(Mauritius) પ્રધાનમંત્રી પ્રવીન્દ જુગનાથ (PM Pravind Kumar Jugannath) આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તથા સર્બાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી એક કિલોમીટર સુધી મોરેશિયસના પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો,જેમાં અલગ-અલગ સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ડીજે ઢોલ નગારા અને નૃત્ય સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી દંપતીને રાજકોટવાસીઓએ આવકાર્યા હતા.આવતીકાલે જામનગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે.

તલવાર રાસ,આદિવાસી નૃત્ય અને કથ્થક આકર્ષણનું કેન્દ્ર

આ ભવ્ય રોડ શોમાં કેટલાક આકર્ષણના કેન્દ્રો હતા જેમાં નાસિક ઢોલ,ડી.જે તથા ઢોલ-નગારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,આ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ દ્રારા તલવાર રાસ,આદિવાસી નૃત્ય અને કથ્થક નૃત્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.મોરેસિયસના પ્રધાનમંત્રી દંપતિ આ દ્રશ્યો જોઇને અભિભૂત જોવા મળ્યા હતા..

રોડ શોના રૂટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રોડ શોના પગલે એક કિલોમીટરના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણાની અધ્યક્ષતામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીની કારને કોર્ડન કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરે કરી સમગ્ર તૈયારીઓ

મોરેશિયસના પ્રધાનમંત્રીના પ્રવાસનું સમગ્ર આયોજન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્રારા કરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર દ્રારા તેમના આગમનથી લઇને આવતીકાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત રાત્રીના સમયે રાજકોટના અગ્ર ગ્રણ્ય લોકો સાથે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

આ પણ વાંચો :Memes Cancel IPL: ટ્વિટર પર IPL રદ કરવાની માગ ઉઠી, MI અને CSkના ચાહકોએ કહ્યું ‘કેન્સલ કરો ભાઈ કેન્સલ’

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">