AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું

આજે જસદણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ માધવીબેન ઉર્ફે સોનલબેન વસાણીએ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી રાજીનામું આપી દીધું છે. સોનલબેનના કહેવા પ્રમાણે મનસુખ રામાણી ધમકી આપી રહ્યા છે.

RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું
જસદણ ભાજપ-મહિલા પ્રમુખ સોનલબેન વસાણીનું રાજીનામુ
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 02, 2022 | 7:22 PM
Share

રાજકોટના (Rajkot) જસદણ પંથકમાં ભાજપનો (BJP) આંતરિક જુથવાદ (Internal factionalism)ચરમસીમા પર છે. ભાજપના જ બે નેતા કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya)અને ભરત બોઘરા (Bharat Boghra)વચ્ચે શીતયુધ્ધ હવે કાર્યકર્તાઓ સુધી પણ પહોંચી ગયું છે. આજે જસદણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ માધવીબેન ઉર્ફે સોનલબેન વસાણીએ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીના ત્રાસથી રાજીનામું આપી દીધું છે. સોનલબેનના કહેવા પ્રમાણે મનસુખ રામાણી ધમકી આપી રહ્યા છે. અને જસદણમાં કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં નહિ જવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સોનલ વસાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ, કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા સહિત નેતાઓને પત્ર લખ્યો છે.

મનસુખ રામાણી ધમકીની ભાષામાં વાત કરે છે

સોનલબેને લખેલા રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મનસુખ રામાણી કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં ન જવાનું દબાણ કરે છે. કુંવરજી બાવળિયાના એક કાર્યક્રમના ફોટો સોશિયલ મિડીયામાં મૂક્યા ત્યારે મનસુખ રામાણીએ ફોટો દુર કરવા માટેનું દબાણ કર્યું હતું. તેઓ કોર્પોરેટર હોવાને કારણે નગરપાલિકામાં તેઓના કામ પણ થતા નથી, ભાજપના મહિલા કાર્યકર સારી કામગીરી કરે છે. પરંતુ તેઓને ભાજપના કેટલાક નેતાઓ કામગીરી કરવા દેતા નથી.

મનસુખ રામાણીએ આ અંગે બોલવાનું ટાળ્યું

મહિલા પ્રમુખે જેના પર આક્ષેપ લગાવ્યો છે તે જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીએ આ અંગે મિડીયા સામે કંઇપણ બોલવાનું ટાળ્યું છે.મનસુખ રામાણી બહાર હોવાનું કહી રહ્યા છે અને આક્ષેપોને રદિયો આપી રહ્યા છે.બીજી તરફ મનસુખ રામાણી ભાજપના પ્રદેશ ઉપાઘ્યાક્ષ ભરત બોધરાના નજીકના વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. ત્યારે કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં ન જવાનું કહીને તેઓ ભરત બોધરાને સમર્થન આપવા કહી રહ્યા છે.

જસદણના આંતરિક જુથવાદને કારણે અધિકારીઓ પણ પરેશાન

જસદણમાં ભાજપના બે નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ એટલો છે જેથી અધિકારીઓ પણ પરેશાન જસદણ વિછીંયા પંથકના નાના મોટા પશ્નોમાં બે નેતાઓનો ઇગો પ્રોબ્લેમ નડી રહ્યો છે. જેના કારણે અધિકારીઓ પરેશાન છે. એક નેતા અધિકારીને કોઇ કામ કરવા માટેનું કહે તો બીજા નેતા આ કામ ન કરવા માટેની ભલામણ કરે છે. જેના કારણે જસદણ વિંછીયા પંથકના વિકાસના કામો અટકે છે અને અધિકારીઓ પર પરેશાન થઇ રહ્યા છે.

આ પણ વાંચો : આણંદ કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહઃ આત્‍મનિર્ભર કૃષિ થકી આત્‍મનિર્ભર ભારતનું નિર્માણ જરૂરીઃ રાજયપાલ

આ પણ વાંચો : કચ્છ : મીઠાના ઓવરલોડ વાહનોથી હાજીપીરથી-દેશલપર વચ્ચેનો માર્ગ જર્જરીત બનતા અનેક ગામને મુશ્કેલી !

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">