RAJKOT : ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન, સર્વેની કામગીરીને લઇને ખેડૂતોના સવાલો

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે.

RAJKOT : ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન, સર્વેની કામગીરીને લઇને ખેડૂતોના સવાલો
RAJKOT: Heavy rains in Dhoraji cause severe damage to standing crops, farmers' questions regarding survey work
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:45 AM

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદરવામાં પડેલ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્સાન થયું છે. સરકારે સર્વે કરવાની ખાત્રી તો આપી. પરંતુ સર્વેની ઢીલી કામગીરીથી ખેડૂતોમાં પણ રોષ છે. અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

ભાદરવામાં આફત બની અને વરસેલા વરસાદએ ખેતરોમાં વિનાશ વેર્યો, ખેતરોમાં ઉભો પાક ભારે વરસાદને કારણે નષ્ટ થઈ ગયો, ધોરાજીમાં ખેડૂતોએ અનેક આકાશી અને માનવ સર્જિત આફતોનું સામનો કરી ચૂક્યા હતા. આ વર્ષ ધોરાજીના ધરતી પુત્રોને આશા હતી કે વરસાદ સારો થશે. પાકનું ઉત્પાદન સારું મળશે. અને બજારમાં પાકના સારા ભાવ મળશે. તો ધરતી પુત્રો દેવાના ડુંગરમાંથી બહાર આવશે. આવી આશાએ ધોરાજીના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા ખાતર સહિતના ખર્ચ કરી અને વાવેતર કર્યું અને પાક લેવાનો સમય આવ્યો. ત્યારે ભાદરવા મહિનામાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોનો ઊભો પાક બળી ગયો, અને પાકમાં આવેલ ફાલ ખરી ગયો, આમ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો.

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે. આ વર્ષે પણ ભાદરવામાં વરસેલા ભરપૂર વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક બળી ગયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો. અને હવે ખેડૂતો પાસે માત્ર ને માત્ર મહેનત સિવાય કાઈ બચ્યું નથી. ખેડૂતો એ એક વીઘા દીઠ આઠ થી દસ હજારનો ખર્ચ કર્યો તમામ ખર્ચ પાણીમાં ગયો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-2, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે અને ભારે વરસાદ વરસતા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન અને ધોવાણ થયું છે. સર્વેના અધિકારીઓ સર્વેની કામગીરીમાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે.

ખેડૂતો સરકાર સમક્ષ ફરી રી સર્વે કરવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ધિરાણએ નાણા લઈ અને વાવેતર કર્યું છે. હવે જો સહાય નહિ મળે તો શિયાળુ પાક વાવેતર નહિ કરી શકે.

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">