Rajkot : સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર,અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ, મુસાફરોનો સમય બચશે, જુઓ Video

હવે મુસાફરોને થનારા ફાયદાની વાત કરીએ તો ઈલેક્ટ્રીફિકેશનના કારણે ટ્રેનોની સ્પીડમાં વધારો થશે.જેથી મુસાફરોનો સમય બચશે.આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં અમદાવાદથી ડીઝલ એન્જિનની જગ્યાએ ઈલેક્ટ્રીક એન્જિન જોડાય છે જેમાં અડધોથી એક કલાક ટ્રેન તે જ સ્ટેશન પર ઊભી રહે છે.જે ઈલેક્ટ્રીક એન્જિન શરૂ થતાં તે સમય બચશે.

Rajkot : સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર,અમદાવાદથી ઓખા ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ, મુસાફરોનો સમય બચશે, જુઓ Video
Ahmedabad Okha Raiway Line Electrification
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 23, 2023 | 8:21 PM

Rajkot : સૌરાષ્ટ્ર માટે રેલવે ક્ષેત્રે સારા સમાચાર છે,અમદાવાદથી ઓખા ઇલેક્ટ્રીકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આવતી 15 જુલાઈ પહેલા અમદાવાદથી રાજકોટ ઈલેક્ટ્રીક એન્જિનો સાથેની ટ્રેનો દોડતી શરૂ થઈ જશે. ઈલેક્ટ્રીક એન્જિનોવાળી ટ્રેન શરૂ થતા રેલ્વે અને મુસાફરો બંનેના અનેક ફાયદાઓ થશે.આવનારા સમયમાં સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો પણ મળશે.જેથી પ્રવાસન ક્ષેત્રને પણ ફાયદો થશે.

ડીઝલ એન્જિનથી ફેલાતું પ્રદૂષણ બંધ થશે,રેલવેનો ખર્ચ પણ ઘટશે:DRM

રાજકોટ રેલવે ડિવિઝનના DRM અનિલ કુમાર જૈનએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક એન્જિન દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે,ડીઝલ એન્જીન દ્વારા ફેલાતું પ્રદૂષણ પણ બંધ થશે.આ ઉપરાંત ઈલેક્ટ્રીક એન્જિન દ્વારા ચાલતી ટ્રેનોમાં ડીઝલ એન્જિન કરતા 1/3 ખર્ચ થાય છે.ઉદાહરણ તરીકે ડીઝલ એન્જિનમાં 100 રૂપિયાનો ખર્ચ થતો હોય તો તેની સામે ઈલેક્ટ્રીફિકેશન દ્વારા 33 જ રૂપિયાનો ખર્ચ થાય એટલે કે રેલવેના ખર્ચમાં પણ ત્રણ ગણો ઘટાડો થશે.

મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ
કાવ્યા મારનના જાબાઝે કર્યો મોટો કમાલ, તોડ્યો 14 વર્ષ જૂનો રેકોર્ડ

આ ઉપરાંત ડીઝલ એન્જિન દ્વારા ચાલતી ટ્રેનના ડબ્બાઓમાં લાઈટ,પંખા અને AC માટે ટ્રેનની આગળ અને પાછળ પાવર કાર હોય છે.જે ઈલેક્ટ્રીફિકેશનથી ચાલતી ટ્રેનોમાં સીધો પાવર મળે છે.

ટ્રેનોની સ્પીડ વધશે,મુસાફરોનો સમય બચશે,વધુ ટ્રેનો મળશે

હવે મુસાફરોને થનારા ફાયદાની વાત કરીએ તો ઈલેક્ટ્રીફિકેશનના કારણે ટ્રેનોની સ્પીડમાં વધારો થશે.જેથી મુસાફરોનો સમય બચશે.આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં અમદાવાદથી ડીઝલ એન્જિનની જગ્યાએ ઈલેક્ટ્રીક એન્જિન જોડાય છે જેમાં અડધોથી એક કલાક ટ્રેન તે જ સ્ટેશન પર ઊભી રહે છે.જે ઈલેક્ટ્રીક એન્જિન શરૂ થતાં તે સમય બચશે.

આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ ડબલ ટ્રેક પણ શરૂ થઈ ગયો છે.જેથી આવનારા સમયમાં સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે અને કેટલીક અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનો રાજકોટ અને ઓખા સુધી પણ લંબાવવામાં આવશે.જેનો સીધો ફાયદો મુસાફરોને થશે.

પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

સૌરાષ્ટ્રના તીર્થધામ સોમનાથ અને દ્વારકા દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ આવે છે.જેમાં સૌથી વધુ ટ્રેન મારફતે પ્રવાસીઓ આવે છે.જેમાં કેટલીક લાંબા અંતરની ટ્રેનો અમદાવાદ સુધીની જ છે જેમાં દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને અમદાવાદથી ટ્રેન બદલાવી પડતી હોય છે.જેથી રાજકોટ અને ઓખા સુધી ટ્રેનો લંબાતા સીધો ફાયદો મુસાફરોને થશે અને તેઓનો સમય બચશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">