Rajkot : ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ગોંડલ યાર્ડમાં આગમન, કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં તેજી

|

Apr 03, 2022 | 6:04 PM

ચાલુ વર્ષે કેરીના 10 કિલોના બોક્સ 1200થી 1700 રૂપિયાના ભાવે વેંચાયા છે. પૂરતા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જણાતા હતા. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડાના પગલે ગીર વિસ્તારમાં અસંખ્ય આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ કેરીના પાકને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું તેના કારણે ચાલું વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કેરીની સિઝન પણ થોડી મોડી શરૂ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

Rajkot : ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ગોંડલ યાર્ડમાં આગમન, કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં તેજી
Rajkot Gondal Market Kesar Mango Income (File Image)

Follow us on

કેરીના રસીયાઓ જેની રાહ જોતા હોય છે એ ગીરની પ્રખ્યાત કેસર કેરીનું(Kesar Mango)ગોંડલ યાર્ડમાં(Gondal Yard)આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં સૌરાષ્ટ્રના તાલાળા, જસાધાર, બાબરીયા, અને ઉના પંથકમાંથી ખેડૂતો કેસર કેરીની હરાજી માટે આવી પહોંચ્યા છે. યાર્ડમાં આશરે 450 કેસર કેરીના બોક્સની હરાજી કરવામાં આવી છે. ગત વર્ષની તુલનામાં કેસર કેરીના ભાવ વધારે(Price Hike)હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે કેરીના 10 કિલોના બોક્સ 1200થી 1700 રૂપિયાના ભાવે વેંચાયા છે. પૂરતા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જણાતા હતા. મહત્વનું છે કે તાઉતે વાવાઝોડાના પગલે ગીર વિસ્તારમાં અસંખ્ય આંબાના વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ કેરીના પાકને પણ મોટું નુકશાન પહોંચ્યું હતું તેના કારણે ચાલું વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ કેરીની સિઝન પણ થોડી મોડી શરૂ થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

કેરીનું 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની ભીતિ

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે.. આ સાથે જ કેસર કેરીના રસીકો ફળોના રાજા કેરીની પણ આત્તુરતાપુર્વક રાહ જોઈ રહ્યા છે.જો કે કેરીના રસિકો માટે આ વખતે કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી શકે છે.ગત વર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે…છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની માઠી અસરથી ખેડૂતોને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી..આંબા પર જોઇએ તેટલો ફાલ જોવા નથી મળી રહ્યો.જેના કારણે આ વર્ષે પણ કેસર કેરીનું 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

બીજી તરફ કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે, વાતાવરણમાં સતત પલટો અને વિવિધના રોગોના કારણે કેસર કેરીના પાકને ખુબ જ નુકસાન થયું છે.શરૂઆતમાં મોર ફૂટવાની પ્રક્રિયા ખૂબ સારી હતી, પરંતુ વાતાવરણમાં ફેરફાર અને તાપમાનમાં વધઘટને કારણે કેરી બંધાવાની પ્રક્રિયા છે એમાં નુકસાની થઈ રહી છે. આંબામાં જેટલું ફ્લાવરીંગ થવું જોઈએ તેટલું થયું નથી.જેના કારણે કેસર કેરીના ભાવ ખુબ જ મોંઘા હોય શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો : Jamnagar: કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ CMના આશીર્વાદ લેતા તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ, કરી આ સ્પષ્ટતા 

આ પણ વાંચો :  આવતીકાલથી 10 હજાર તબીબો જશે હડતાળ પર, રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે

Published On - 6:01 pm, Sun, 3 April 22

Next Article