AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરી શોખીનો માટે માઠા સમાચાર, કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટવાનો ખેડૂતોનો મત

કચ્છમાં નખત્રાણા,અંજાર, માંડવી અને ભુજ વિસ્તારમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર હતું.

કેરી શોખીનો માટે માઠા સમાચાર, કચ્છની કેસર કેરીનું ઉત્પાદન ઘટવાનો ખેડૂતોનો મત
Bad news for mango enthusiasts, farmers vote to reduce kesar mango production in Kutch
Jay Dave
| Edited By: | Updated on: Apr 03, 2022 | 5:44 PM
Share

કચ્છની (Kutch) કેસર કેરી (Kesar keri) ખાવાના શોખીનો માટે આ વખતે માઠા સમાચાર છે. વધુ પડતી ગરમી અને પૂરતુ પાણી ન મળવાથી આ વખતે કચ્છની કેસર કેરીનું (mango) ઉત્પાદન ઘટશે તેવું ખેડૂતોનું (Farmers) માનવું છે. કચ્છમાં ગત વર્ષે 65,000 મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ઘણા વિસ્તારોમાં કેરીમાં ફુલ અને કેરીના ફળ પણ નાના લાગ્યા છે.

સ્વાદમાં મીઠી, લાંબો સમય ટકાઉ અને ગુણવત્તાયુક્ત કચ્છની કેસર કેરીની દર વર્ષે ભારત અને વિદેશમાં પણ ડિમાન્ડ રહે છે. તેમાંય ગુજરાતના અન્ય વિસ્તારમાં ઉત્પાદિત થતી કેરીની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છની કેરી માર્કેટમાં આવે છે જેથી તેની ડિમાન્ડ વધુ છે. પરંતુ આ વખતે કચ્છમાં કેરીનું ઉત્પાદન નબળું જાય તેવી શક્યતા છે. શરૂઆતના સમયમાં કેરીના ઝાડ પર ફ્લાવરીંગ સારું આવ્યું હતું. પરંતુ અચાનક ગરમી પડતા ફ્લાવરીંગ ખરી પડ્યુ છે. તો પૂરતા પાણીના અભાવે પણ ઉત્પાદન ઓછું જાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. અત્યારથી નાની કેરીઓ ખરી વડવાની અનેક ખેડૂતોએ ફરીયાદ કરી છે. ખાસ કરીને ભુજ તાલુકામાં

કચ્છમાં નખત્રાણા,અંજાર, માંડવી અને ભુજ વિસ્તારમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર હતું. જેમાં થોડો વધારો થયો છે. તો ગત વર્ષે યોગ્ય ભાવ ન હતા. ત્યારે ખેડૂતોનો માલ પણ સારો ઉતર્યો હતો. અને 65,000 મેટ્રીક ટન ઉત્પાદન કેરીનું થયું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ પણ કોઇ અનુમાન સુધી પહોંચી શક્યું નથી. અને કચ્છમાં ઉત્પાદન જળવાઇ રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારમાં સારા ઉત્પાદનની આશા છે.

કચ્છમાં દર વર્ષે ખેડુતોની સારા કેરીના ઉત્પાદનની આશા પર વાતાવરણ પાણી ફેરવી નાંખે છે. છતાં પણ કચ્છની કેરીનું ઉત્પાદન જળવાઇ રહે છે, પરંતુ ચાલુ વર્ષે શરૂઆતથી જ નબળી ગુણવત્તા સાથે ઓછું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને ચિંતા છે. જોકે ખેતીવાડી વિભાગ હજુ કેટલાક વિસ્તારોમાં સારા ઉત્પાદનની આશા રાખી રહ્યા છે, પરંતુ ખેડૂતોના મતે વધુ કિંમતે કચ્છની કેરીના શોખીનોને થોડું નિરાશ થવું પડશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પારો યથાવત, મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર

ગુજરાત-મહારાષ્ટ્રના આકાશમાં દેખાયેલો ભેદી પદાર્થનું રહસ્ય અકબંધ, ચીનના કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનો નિષ્ણાતોનો મત

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">