AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ફાયરિંગના 14 દિવસ બાદ કોંગ્રેસ અગ્રણી અભિષેક તાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર, જાણો વિગત

Rajkot: કોંગ્રેસના કાર્યકર પર ફાયરિંગ મામલે કોંગ્રેસના નેતા અભિષેક તાલા અને તેના ભાઈને ભાગેડુ જાહેર કર્યા છે. 14 દિવસ પહેલા કોંગ્રેસના જ કાર્યકર પર ફાયરિંગ કરાયું હતું.

Rajkot: ફાયરિંગના 14 દિવસ બાદ કોંગ્રેસ અગ્રણી અભિષેક તાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર, જાણો વિગત
Abhishek Tala and Rajdeep Tala
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:43 AM
Share

રાજકોટ : થોડાક દિવસ પૂર્વે કોંગ્રેસ કાર્યકર (Firing on congress Worker) પર કોગ્રેસના જ અગ્રણીએ ફાયરિંગ કર્યાની ઘટના બની હતી. ઘટનાના લગભગ 14 દિવસ બાદ ફાયરિંગના કેસમાં આગળ કામગીરી હાથ ધરાઈ હોય એવું લાગી રહ્યું છે. બનાવના 14 દિવસ બાદ કાર્યવાહી થઇ છે. તો કોંગ્રેસના અગ્રણી અભિષેક તાળા (Abhishek Tala) અને તેનો ભાઈ રાજદીપ તાળાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટની સીઆરપીસી એક્ટ કલમ 70 મુજબ વોરન્ટ ઇસ્યુ કર્યો છે. તો હવે આ કેસમાં આરોપી પકડાય નહીં તો મિલ્કત ટાંચમાં લેવાશે. કોંગ્રેસ કાર્યકર હર્ષિત જાની પર અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ફાયરિંગ કર્યુ હતુ. રકમની લેતીદેતી મામલે આ બબાલ થઇ હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 18 નવેમ્બર મોદી રાત્રે આ ઘટના ઘટી હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ થયું હતુ. જેમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ પૈસાની લેતી દેતી મામલે પૂર્વ કોંગી કાર્યકર પર ફાયરિંગ કર્યું હતું. આ કોગ્રેસ અગ્રણીનું નામ અભિષેક તાળા છે. અને તેનો ભાઈ રાજદીપ તાળા હવે પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

ફાયરીંગની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. માહિતી પ્રમાણે 50 લાખની લેતી દેતીના મામલામાં આ ઘટના ઘટી હતી. તો ફાયરિંગ બાદ રાજકારણ પણ ગરમાયું હતું. હર્ષિત જાની પર ફાયરિંગ થતા સાંસદ રામ મોકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હોવાની માહિતી આવી હતી. તો અહેવાલ પ્રમાણે હર્ષિત જાનીએ બ્રહ્મ સમાજ-પૂર્વ MLA ઇન્દ્રનીલ સાથે જોડાયેલો હોવાની માહિતી બહાર આવી હતી. ત્યારે હર્ષિત જાનીએ કોઈ વ્યવહારમાં 50 લાખની જામીન લીધી હોવાનું માનવામાં આવવાનો ઉલ્લેખ પણ એક સમાચાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા, જુઓ વાદળછાયા માહોલ વચ્ચે ઉંચી પ્રતિમાનો નજારો

આ પણ વાંચો: Surat : કોર્પોરેશન દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">