Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા, જુઓ વાદળછાયા માહોલ વચ્ચે ઉંચી પ્રતિમાનો નજારો

Narmada: વાદના વાવાઝોડાના જોખમના કારણે ગુજરાત ભરમાં ભર શિયાળે અષાઢી માહોલ જામ્યો છે. તો કેવડિયામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 9:29 AM

Narmada: રાજ્યમાં સાર્વત્રિક કમોસમી વરસાદ અને વાદળછાયુ વાતાવરણ છે. ત્યારે પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ખાતે આહ્લાદક દ્રષ્યો સર્જાયા છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રષ્યો સર્જાય છે. સરદારની ઉંચી પ્રતિમાની આસપાસનો નજારો કુદરતી સૌદર્યથી ખીલી ઉઠ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સરદારની ઉંચી પ્રતિમાનો નજારો મનમોહીલે તેવો છે. પ્રવાસીઓ સુંદર વાતાવરણમાં પ્રવાસની મજા માણી રહ્યાં છે.

જણાવી દઈએ કે જવાદના વાવાઝોડાના જોખમના કારણે ગુજરાત ભરમાં ભર શિયાળે અષાઢી માહોલ જામ્યો છે. ઠેર ઠેર કમોસમી વરસાદ વરસતા ખેતીને મોટું નુકસાન થયું છે. મહામહેનત અન્નદાતાએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. શિયાળુ પાક ખેતરોમાં લહેરાતો હતો. એ જ પાક પર આકાશમાંથી આફત વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. માવઠાથી નુકસાનીની આ ચાર તસવીર છે.

જેમાં ભાવનગરમાં ભારે વરસાદના કારણે કુકડ સહિતના ગામોમાં કેળાના પાકનો સોથ વળી ગયો. આ તરફ બોટાદમાં પણ વરસાદ અને ભારે પવનના કારણે તુવેરનો પાક ડગમગી ગયો છે. અમરેલીમાં પણ ખેતીને વ્યાપક નુકસાન થયું છે. શિયાળુ અને બાગાયતી પાકને નુકસાન થયું છે. કેળા, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક ગુમાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અગરિયાઓને ભારે નુકસાન થયું છે..અગરિયાઓના પાટા ધોવાઈ ગયા છે.

 

આ પણ વાંચો: મધદરિયે માછીમારો મુશ્કેલીમાં! જાફરાબાદ બંદર પર 400 બોટો પરત ફરી, હજુ આટલી બોટ મધ દરિયામાં

આ પણ વાંચો: Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">