Rajkot : 100 જેટલા ટ્રાન્સજેન્ડરોએ લીધી કોરોના વેક્સિન, અંધશ્રદ્ઘા છોડીને વેક્સિન લેવા કરી અપીલ

લક્ષ્ય ગ્રુપ સાથે જોડાયેલા ટ્રાન્સજેન્ડર ગોપીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે અને થર્ડ વેવની આગાહી પણ છે, ત્યારે લોકોએ ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ છોડીને રસીકરણ માટે આગળ આવવું જોઇએ.

Rajkot : 100 જેટલા ટ્રાન્સજેન્ડરોએ લીધી કોરોના વેક્સિન, અંધશ્રદ્ઘા છોડીને વેક્સિન લેવા કરી અપીલ
Corona Vaccine
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:38 PM

રાજકોટ શહેરમાં અલગ અલગ તબક્કામાં કોરોના વેક્સિન (Corona Vaccine) લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના ટ્રાન્સજેન્ડરો (Transgender) પણ વેક્સિન લેવામાં પાછળ નથી આજે તેમના દ્વારા પણ વેક્સિન લેવામાં આવી છે. આજે રાજકોટ શહેરમાં ટ્રાન્સજેન્ડર અને કિન્નરો મળીને કુલ 100 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી.

રાજકોટ મહાનગર પાલિકાના (Rajkot Municipal Corporation) આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોએ આવીને વેક્સિન મૂકાવી હતી. બે મહિના પહેલા ટ્રાન્સજેન્ડરોના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બીજો ડોઝ લેનાર કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રથમ ડોઝ પણ લીધો હતો.

અંધશ્રધ્ધા છોડી વેક્સિન ફરજીયાત મૂકાવો-લક્ષ્ય ગ્રુપ

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

આ અંગે લક્ષ્ય ગ્રુપ સાથે જોડાયેલા ટ્રાન્સજેન્ડર ગોપીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે અને થર્ડ વેવની આગાહી પણ છે, ત્યારે લોકોએ ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ છોડીને રસીકરણ માટે આગળ આવવું જોઇએ. વેક્સિનના બંન્ને ડોઝ લેવાને કારણે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે કોરોના સામે સુરક્ષિત છીએ. વધુમાં ગોપીએ કહ્યું હતુ કે લક્ષ્ય ગ્રુપ સાથે સંકળાયેલા મોટા ભાગના કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોએ વેક્સિન લઇ લીધી છે અને બાકી રહેલા પણ આગામી દિવસોમાં વેક્સિન લઇ લેશે.

આ અંગે સમાજ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસે કહ્યું હતુ કે ટ્રાન્સજેન્ડર સમાજનો એક ભાગ છે અને તેઓનું રસીકરણ થાય તે પણ ખૂબ જરૂરી છે, ત્યારે લક્ષ્ય ગ્રુપ અને આરોગ્ય વિભાગના સહકારથી આ કાર્યક્રમ થઇ રહ્યો છે. અગાઉ 95 જેટલા ટ્રાન્સજેન્ડરોએ પ્રથમ ડોઝ લીધો હતો તે તમામ લોકોએ આજે બીજો ડોઝ લીધો છે, જ્યારે 100 જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જેઓના બીજા ડોઝની સમય મર્યાદા આવ્યે ખાસ કેમ્પ રાખવામાં આવશે.

આ પણ વાંચો : દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

આ પણ વાંચો : Rajkot બનશે રેલ્વે ફાટક મુક્ત ,અટિકા અને ઢેબર રોડ ક્રોસિંગ પર બ્રિજ બનાવવાની વિચારણા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">