AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત બાદ ડિઝાઇનના મુદ્દે કામ અટવાયું, લોકો પરેશાન

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત તો કરવામાં આવી. પરંતુ જાહેરાતને 5 મહિનાથી વધુ સમય થયા હોવા છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું નથી.રેલવે અને કોર્પોરેશન વચ્ચે ડિઝાઇનની અસમંજસને લઈને ઓવરબ્રિજનું કામ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ જર્જરીત ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.રા

Rajkot : જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત બાદ ડિઝાઇનના મુદ્દે કામ અટવાયું, લોકો પરેશાન
Rajkot Overbridge Issue
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 17, 2023 | 8:15 PM
Share

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જર્જરીત સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાત તો કરવામાં આવી. પરંતુ જાહેરાતને 5 મહિનાથી વધુ સમય થયા હોવા છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થયું નથી.રેલવે અને કોર્પોરેશન વચ્ચે ડિઝાઇનની અસમંજસને લઈને ઓવરબ્રિજનું કામ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ જર્જરીત ઓવરબ્રિજનું કામ ક્યારે શરૂ થશે? તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.રાજ્ય સરકારે રાજ્યના જર્જરીત પુલની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ થાય છે.રેલવે ટ્રેક પર આવેલો સાંઢીયા પુલ વર્ષોથી હાલતમાં છે. મોરબી જુલતા પુલની દુર્ઘટના બાદ સાંઢીયા પુલને નવો બનાવવાની વધુ તીવ્ર બની છે. કોર્પોરેશન દ્વારા 44 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાની કાગળ પર જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ જાહેરાત કર્યાને 6 મહિના જેટલો સમય થયો હોવા છતાં સાંઢીયા પુલનું કામ ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું.

રેલવે અને કોર્પોરેશન વચ્ચે પુલની ડિઝાઇનને લઈને અસમંજસ

રેલવે અને કોર્પોરેશન વચ્ચે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને અસમંજસ હતી.મનપા દ્વારા પહેલા રજૂ કરાયેલી ડિઝાઇનમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા.જે ફેરફાર સાથે ફરી એક વાર મનપા દ્વારા લંબાઈ અને ઉચાઈમાં ઘટાડો કરીને રેલવેને રજૂ કરવામાં આવી છે.આ ડિઝાઇન ચેક કરવાની ફી પેટે રેલવેએ કોર્પોરેશન પાસે 12 લાખ જેટલી ફી માગી છે.જે કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે તે આવનારા દિવસોમાં રેલવેમાં રજૂ કરીને ડિઝાઇન અંગે મંજૂરી રેલવે દ્વારા આપવામાં આવશે.આ મંજૂરી મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજના કામ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં બ્રિજનું કામ શરૂ થશે.

જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ

હાલમાં જ રાજ્ય સરકારે જર્જરીત પુલોની યાદી જાહેર કરી તેમાં સાંઢીયા પુલનો પણ સમાવેશ છે.બ્રિજનું કામ ક્યારે શરૂ થશે તે અંગે મનપાના સિટી ઇજનેરને પૂછતા તેઓ પણ હજુ ચોક્કસ સમય કહી નથી શક્યા કે ક્યારે બ્રિજનું કામ શરૂ થશે.પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી બ્રિજનું કામ ચાલુ નહિ થાય ત્યાં સુધી લોકો આ અતિ જર્જરીત સાંઢીયા પુલ પરથી પસાર થતા રહેશે.

આ પણ વાંચો : Ahmedabad: મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">