AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 12 વર્ષની અનાથ કિશોરીને અમેરિકાના દંપતીએ લીધી દત્તક

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના આંગણે આવનાર દંપતીએ બાલાશ્રમની તન્મય નામની બાર વર્ષની દીકરી કે જે લગભગ પાંચેક વર્ષ પહેલા સ્ટેશન પરથી મળી આવી હતી. આ દીકરીને દતક લઇ પોતાનું આંગણું દિપાવ્યું છે

Rajkot: 12 વર્ષની અનાથ કિશોરીને અમેરિકાના દંપતીએ લીધી દત્તક
Ronak Majithiya
| Edited By: | Updated on: May 09, 2023 | 9:17 PM
Share

આપણે ભલે આધુનિક સમાજમાં જીવતા થયા હોઈએ દીકરીને દીકરા સમોવડી ગણવતા થયા હોઈએ, પરંતુ આજે પણ ક્યાંકને ક્યાંક હજુય આપણો સમાજ હજુય ખૂબ પછાત છે તેવું રોજબરોજના કિસ્સાઓ પરથી લાગી રહ્યું છે. આપણે ભલે દીકરો દીકરી એક સમાન હોવાની વાતો કરતા થયા હોઈએ પરંતુ આજે પણ સ્ત્રીનું ગર્ભ પરિક્ષણ કરાવાય છે, છાને ખૂણે દીકરીને ભૃણમાં જ મારી નાખવામાં આવે છે, દીકરીને દીકરા સમોવડિયા અધિકારોથી વંચિત રખાય છે. આપણો સમાજ એક ઊંચાઈ તરફ ગતિ તો કરી રહ્યો છે, જેમાં એક દીકરીને પણ સમાન અધિકારો મળી રહે. પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક દીકરીને સાપનો ભારો ગણવામાં આવે છે.

દીકરીને દતક લઈ દીપાવ્યું આંગણું

વાત છે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના આંગણે આવનાર દંપતીની કે જેઓએ આ બાલાશ્રમની તન્મય નામની બાર વર્ષની દીકરી કે જે લગભગ પાંચેક વર્ષ પહેલા સ્ટેશન પરથી મળી આવી હતી. આ દીકરીને દતક લઈ પોતાનું આંગણું દિપાવ્યું છે. આ દંપતી એટલે કે ઉમેશ શ્રીવાસ્તવ કે જેઓ દિલ્હીના વતની છે અને તેમના પત્ની શિવાની બહેન જેઓ પટણાના વતની છે મૂળ ભારતીય આ દંપતી છેલ્લા પંદરેક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. ઉમેશભાઈ કમ્પ્યુટર એન્જિનિયર છે જ્યારે શિવાની બહેન અમેરિકા ખાતે એક શિક્ષિકા તરીકે કાર્યરત છે.

આ દંપતીને સંતાનમાં એક પુત્ર અરહંત પણ છે .પરંતુ દીકરી વગરનું આંગણું સુનું લાગતા આ દંપતિએ એક ઇન્ટનેશનલ એજન્સીના મારફત કાઠિયાવાડી બાલાશ્રમનો સંપર્ક કરી એક દીકરીને દતક લીધી છે. દંપતી જણાવે છે કે અમુક કારણોસર તેઓ દીકરીને દતક નહોતા લઈ શક્યા, પરંતુ હવે તેઓની મનોકામના ફળી છે. વધુમાં શિવાની બહેને જણાવ્યું હતું કે દીકરી વગરનું ઘર એ ઘર નહોતું લાગતું એટલે અમે તન્મયને દત્તક લેવાનું મન બનાવ્યું.

આ પણ વાંચો : મોડાસા SOG ટીમ પર હુમલો, હથિયાર પરવાના ચેક કરવાની કાર્યવાહી દરમિયાન એટેક કર્યો, 2 આરોપી ઝડપાયા

દીકરી તન્મય બની આહના શ્રીવાસ્તવ

12 વર્ષની દીકરી તન્મય ને દતક લઇ શ્રીવાસ્તવ દંપતિએ તન્મયને આહના જેવું સરસ મજાનું નામ આપ્યું છે એટલે હવે દીકરી તન્મય હવે આહના શ્રીવાસ્તવ તરીકે ઓળખાશે. દીકરીને દતક લીધા બાદ શ્રીવાસ્તવ દંપતી ખુબજ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે દીકરા અરહંતને પણ બહેન મળ્યાનો અનેરો આનંદ છે. તો આ તકે દીકરી તન્મય પણ કાઠિયાવાડી બાલાશ્રમ ની યાદોને વાગોળતા જણાવે છે કે આ બાલાશ્રમમાં તે છેલ્લા ૫ વર્ષથી છે અને એક સગી દીકરી કરતા પણ વિશેષ રીતે તેનો ઉછેર થઈ રહ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">