AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન

Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલને અકસ્માત નડતા તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. વ્હાલસોયાને ગુમાવનાર જાજલ પરિવારે આ ઉંડા આઘાત વચ્ચે પણ અન્યોને મદદરૂપ થવાનુ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ અને બ્રેઈનડેડ નૈતિકના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

Rajkot: 28 વર્ષિય CA નૈતિક જાજલ બ્રેઈન ડેડ થતા પરિવારે તમામ અંગોનું કર્યું દાન, અંગદાન થકી અનેક લોકોને મળ્યું નવજીવન
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 02, 2023 | 5:04 PM
Share

રાજકોટના 28 વર્ષીય CA યુવક નૈતિક જાજલ અકસ્માતમાં બ્રેઈનડેડ થતાં પરિવારે યુવકના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. યુવકના બંને ફેફસાં, હૃદય, બંને કિડની અને બંને આંખોનું દાન કરવામાં આવ્યુ. જેના થકી અનેક લોકોને નવજીવન મળ્યું. સાથે જ રાજકોટ શહેરનું આ 105મુ અંગદાન હતું અને તમામ અંગોનું દાન કરાયુ હોય તેવી આ માત્ર બીજી ઘટના હતી.

અકસ્માત થતાં નૈતિક જાજલનું થયું હતું બ્રેઈન ડેડ

29 માર્ચે રાત્રે નૈતિક અને તેના મિત્ર અને તેના પરિવારજનો ફરવા માટે ટુ વ્હીલર પર નીકળ્યા હતા. જામનગર રોડ પર ગ્રાન્ડ મુરલીધર હોટેલ નજીક કોઈ અજાણ્યા કાર ચાલકે ઠોકર મારતાં ફંગોળાયા હતા અને નૈતિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાંથી તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલત વધુ ગંભીર હોવાથી કુવાડવા રોડ પર આવેલી ગોકુળ હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા હતા.

તબીબોએ ઘણી મહેનત કરી છતા સફળતા મળી ન હતી અને નૈતિક જાજલ બ્રેઈનડેડ થયા હતા. જો કે તેમના અન્ય અંગે સ્વસ્થ હોવાથી પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો. વ્હાલસોયાને ગુમાવવાના આઘાતમાં પણ પરિવારે અન્યને મદદરૂપ થવાની ખેલદિલિ બતાવી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

ગ્રીન કોરિડોર દ્વારા લઈ જવામાં આવ્યા અંગો

કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવી એરપોર્ટ સુધી નૈતિકના અંગો લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ચેન્નઈ અને અમદાવાદ અલગ અલગ ચાર્ટર પ્લેન મારફતે અંગો લઈ જવામાં આવ્યા હતા. આ અંગે TV9 સાથે વાત કરતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડૉ. દિવ્યેશ વિરોજાએ જણાવ્યું હતું કે માત્ર 4 મિનિટમાં કુવાડવા રોડ પરથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી આ અંગો મોકલવામાં આવ્યા હતા. જેમાં ટ્રાફિક વિભાગનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો અને ઍરપોર્ટ પહોંચ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ પુણ્યના કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો ડૉ. વિરોજાએ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: 75માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવકના હ્રદયનું દાન, પાટણના યુવકને મળ્યુ નવું જીવન

ફેફસાં ચેન્નઈ, કિડની, લીવર અને હૃદય અમદાવાદ મોકલવામાં આવ્યા

ગ્રીન કોરિડોર દ્વારા એરપોર્ટ સુધી અંગો પહોચાડ્યા બાદ ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ અને ચેન્નઈ આ અંગો પહોંચાડવામાં આવ્યા હતા. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઇની એમ.જી.એમ. હોસ્પિટલ અને લીવર તથા કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આ અંગોના દાન દ્વારા અનેક લોકોને નવજીવન મળ્યું છે. મૃતકના માતા માયાબેને બહુ માર્મિક વાત કરી હતી કે શરીરને બાળીને રાખ કરીને વહાવી દેવા કરતા તેના લીધે 5 થી 7 લોકોને નવજીવન મળી શકે છે. જેથી અમે આ અંગદાનની રજા આપી હતી. આ ઉપરાંત અન્ય લોકોને પણ અંગદાન કરવાની અપીલ કરી હતી.

અંગદાન સમયે સર્જાયા ભાવુક દૃશ્યો, અહીં જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">