Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!

જામનગરમાં તાજેતરમાં જ હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસો ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા છે.ત્યારે tv9ની ટીમે રાજકોટમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રિયાલિટી ચેક હાથ ધર્યું હતું.જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:19 PM

રાજકોટમાં અનેક આવાસ યોજનાઓ અતિ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને હજારો લોકો મોતના ભય હેઠળ જીવી રહ્યા છે. જો કે હવે જામનગરની ઘટના બાદ રાજકોટ મનપા જાગ્યું છે અને જર્જરીત આવાસો અંગે સર્વે પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલે આ અંગે મનપામાં અધિકારીઓની બેઠક પણ મળશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો 50 વર્ષ જૂના

Tv9ની ટીમ આનંદનગર ખાતે આવેલા હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે આ આવાસોના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.આનંદનગરના આવાસો 50 વર્ષ પહેલાં બનેલા છે અને તેની હાલત અતિજર્જરિત છે.આનંદનગર ક્વાર્ટરમાં 1 હજાર જેટલા મકાનો અલગ અલગ વિભાગમાં આવેલા છે.કેટલાક મકાનોમાં બહારની દિવસમાં મોટા વૃક્ષ પણ ઉગી ગયા છે.અનેક વખત મકાનોની છત પરથી પોપડા પડવાની ઘટનાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

“દરરોજ મોતનો ભય લાગે છે,મજબૂરીના કારણે અહીંયા રહેવું પડે છે” – સ્થાનિકો

અહીંયા રહેતા લોકોની હાલત અતિદયનીય છે.લોકોએ ટીવી9 પાસે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે લોકોને દરરોજ મોતનો ભય લાગે છે,અનેકવાર છતમાંથી પોપડા પડવાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયેલા છે.અહીંયા રહેતા લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનપા દ્વારા નોટિસ આપવા છતાં લોકો ક્યાંય જઈ નથી શકતા અને અહીંયા જ રહેવા મજબૂર છે.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?

આ પણ વાંચો : રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત, પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી

લોકોનું કહેવું છે કે માત્ર નોટિસ નહિ નવા આવાસો બનાવી આપવામાં આવે. લોકોએ આક્ષેપ કર્યો છે કે સરકાર નવા આવાસો તો બનાવે છે પરંતુ જૂના આવાસોમાં રહેતા લોકોની ચિંતા નથી કરી રહી.વહેલામાં વહેલી તકે નવા આવાસો બનાવવા અંગે સરકાર નિર્ણય લે તેવી માગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે સરકાર જામનગરની ઘટના પરથી શીખ લઈને લોકોની ચિંતા કરે છે કે પછી હજુ પણ જામનગર જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">