AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!

જામનગરમાં તાજેતરમાં જ હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસો ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકો મોતને ભેટ્યા છે.ત્યારે tv9ની ટીમે રાજકોટમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રિયાલિટી ચેક હાથ ધર્યું હતું.જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

Rajkot: હાઉસીંગ બોર્ડના આવાસો બન્યા મોતના મકાન, હજારો લોકો મોતના ભય હેઠળ જીવન વિતાવવા મજબૂર!
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 25, 2023 | 5:19 PM
Share

રાજકોટમાં અનેક આવાસ યોજનાઓ અતિ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને હજારો લોકો મોતના ભય હેઠળ જીવી રહ્યા છે. જો કે હવે જામનગરની ઘટના બાદ રાજકોટ મનપા જાગ્યું છે અને જર્જરીત આવાસો અંગે સર્વે પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલે આ અંગે મનપામાં અધિકારીઓની બેઠક પણ મળશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસો 50 વર્ષ જૂના

Tv9ની ટીમ આનંદનગર ખાતે આવેલા હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે આ આવાસોના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.આનંદનગરના આવાસો 50 વર્ષ પહેલાં બનેલા છે અને તેની હાલત અતિજર્જરિત છે.આનંદનગર ક્વાર્ટરમાં 1 હજાર જેટલા મકાનો અલગ અલગ વિભાગમાં આવેલા છે.કેટલાક મકાનોમાં બહારની દિવસમાં મોટા વૃક્ષ પણ ઉગી ગયા છે.અનેક વખત મકાનોની છત પરથી પોપડા પડવાની ઘટનાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

“દરરોજ મોતનો ભય લાગે છે,મજબૂરીના કારણે અહીંયા રહેવું પડે છે” – સ્થાનિકો

અહીંયા રહેતા લોકોની હાલત અતિદયનીય છે.લોકોએ ટીવી9 પાસે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે લોકોને દરરોજ મોતનો ભય લાગે છે,અનેકવાર છતમાંથી પોપડા પડવાથી લોકો ઈજાગ્રસ્ત પણ થયેલા છે.અહીંયા રહેતા લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનપા દ્વારા નોટિસ આપવા છતાં લોકો ક્યાંય જઈ નથી શકતા અને અહીંયા જ રહેવા મજબૂર છે.

આ પણ વાંચો : રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત, પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી

લોકોનું કહેવું છે કે માત્ર નોટિસ નહિ નવા આવાસો બનાવી આપવામાં આવે. લોકોએ આક્ષેપ કર્યો છે કે સરકાર નવા આવાસો તો બનાવે છે પરંતુ જૂના આવાસોમાં રહેતા લોકોની ચિંતા નથી કરી રહી.વહેલામાં વહેલી તકે નવા આવાસો બનાવવા અંગે સરકાર નિર્ણય લે તેવી માગ કરી છે.હવે જોવાનું એ રહેશે કે સરકાર જામનગરની ઘટના પરથી શીખ લઈને લોકોની ચિંતા કરે છે કે પછી હજુ પણ જામનગર જેવી ઘટના બનવાની રાહ જોઈ રહી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">