AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરી રહી હતી.સોની વેપારીએ 80 લાખ રૂપિયાની કિંમતનો એક વિલા છેતરપિંડીના રૂપિયાથી ખરીદ કર્યો હોવાની માહિતીના આધારે રૂપિયાની વસૂલાત કરવા માટે પહોંચી હતી

Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા
Letter bomb- Sony trader kept in crime branch for hours, lapped by PI
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:07 PM
Share

રાજકોટ (Rajkot) પોલીસ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA Govind Patel) ગંભીર આક્ષેપો લગાવ્યા બાદ એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે. ગોવિંદ પટેલે પોતાના પત્રમાં કિસન સખિયા સાથે મુનિરાએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને એક સોની વેપારીએ આ છેતરપિંડીના રૂપિયાથી વીલા લીધો હોવાની પણ વાત કરી છે. આખો મામલો સામે આવ્યા બાદ આ સોની વેપારીનો એક વિડીયો સામે આવ્યો હતો. ધર્મેશ સોની નામના વેપારીએ પોલીસ તેની સાથે ખોટી રીતે દુર્વ્યવહાર કરીને 2 કરોડની માંગણી કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. અને આ પૈકી 1 કરોડથી વધારેના ચેક લખાવી લીધા છે. પરંતુ વેપારી દ્વારા સ્ટોપ પેમેન્ટ કરાવી દેવામાં આવ્યા છે.

સાત સાત કલાકો સુધી બેસાડી રાખતા-પીઆઇએ લાફા ઝીંક્યા

ધર્મેશના વાયરલ થયેલા વિડીયોમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે છેતરપિંડીના આ કેસમાં પોલીસે મુનિરાને 11 દિવસ સુધી ગોંધી રાખી હતી.મુનિરાએ પોતાના નિવેદનમાં 45 લાખ રૂપિયાની લેતીદેતી તેમની સાથે કરી હતી જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ તેને રૂપિયા આપવાનું કહી રહ્યા હતા. ધર્મેશભાઇએ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાખરાને તમામ દસ્તાવેજી પુરાવાઓ દર્શાવ્યા હતા. જે વહીવટ કરવામાં આવ્યો તેના જીએસટી નંબર સહિતના દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઢોરમાર મારવામાં આવ્યો.થો઼ડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ દ્વારા સાત કલાક સુધી બેસાડી રાખીને તેને લાફાં ઝીકવામાં આવ્યા હોવાનો પણ વેપારીએ આક્ષેપ કર્યો છે.

આ અંગે સોની વેપારીએ હાઇકોર્ટમાં કરી છે ફરિયાદ

સોની વેપારી અને પોલીસ વચ્ચેના આ ધર્ષણમાં સોની વેપારીએ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.પોલીસની વિરુદ્ધમાં સોની પરિવાર હાઇકોર્ટમાં ગયો છે આ અગાઉ તેઓએ ગૃહમંત્રી.રાજ્ય પોલીસ વડા અને માનવઅધિકાર પંચ સમક્ષ પણ રજૂઆત કરી છે.કોરોનાને કારણે હાઇકોર્ટમાં કેસ ચાલતા ન હોવાથી હજુ સુધી તેઓની અરજી પેન્ડીંગ છે.

સોની વેપારી-પોલીસ વચ્ચે થઇ હતી ઝપાઝપી

આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરી રહી હતી.સોની વેપારીએ 80 લાખ રૂપિયાની કિંમતનો એક વિલા છેતરપિંડીના રૂપિયાથી ખરીદ કર્યો હોવાની માહિતીના આધારે રૂપિયાની વસૂલાત કરવા માટે પહોંચી હતી. ત્યારે સોની વેપારી દ્વારા પીએસઆઇ સાખરા અને તેના કોન્સટેબલને બંધક બનાવી દીધા હતા.જેની જાણ પોલીસને થતા ક્રાઇમ બ્રાન્ચ અને એ-ડિવીઝનનો મોટો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. અને બાદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી જે અંગે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પાટીદાર ચહેરો, ડો.ગિરીશ ભીમાણી પર પસંદગી ઉતારાઈ

આ પણ વાંચો : વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ દેશનું ગૌરવ વધાર્યું, યુનોના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમમાં પ્રથમ ક્રમ મેળવ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">