યુવરાજસિંહની ધરપકડ મામલે શિક્ષણ પ્રધાન જીતુ વાધાણીનો કટાક્ષ, ”કોણ યુવરાજસિંહ? કાયદો બધા માટે એક સમાન”

જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કંઈક ખોટું થયું હોય તો તેને સુધારવાની સરકારની તૈયારી છે. ભૂતકાળમાં જ્યાં પણ ગેરરિતી થઈ છે, ત્યાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો ખોટી રીતે સરકારને બદનામ કરી રહ્યા છે. જે અયોગ્ય છે.

યુવરાજસિંહની ધરપકડ મામલે શિક્ષણ પ્રધાન જીતુ વાધાણીનો કટાક્ષ, ''કોણ યુવરાજસિંહ? કાયદો બધા માટે એક સમાન''
JItu Vaghani
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 06, 2022 | 4:34 PM

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની  (Yuvraj Singh Jadeja)પોલીસ પર કાર ચઢાવવાની આરોપમાં કલમ 307 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody)માં મોકલવામાં આવ્યા છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. FSLના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કટાક્ષ કર્યો હતો. પત્રકારો દ્વારા યુવરાજસિંહની ધરપકડના સવાલની શરૂઆતમાં જ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોણ યુવરાજસિંહ? કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લે તો કાયદો બધા માટે એક સમાન છે. ન્યાયિક પ્રક્રિયા બધા માટે એક સમાન હોય છે.

ખોટા આક્ષેપો અયોગ્ય- જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કંઈક ખોટું થયું હોય તો તેને સુધારવાની સરકારની તૈયારી છે. ભૂતકાળમાં જ્યાં પણ ગેરરિતી થઈ છે, ત્યાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો ખોટી રીતે સરકારને બદનામ કરી રહ્યા છે. જે અયોગ્ય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોંગ્રેસની સરકારના બાવળાં પકડીને નોકરીમાં લેવાતા હતા-જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ભરતી અંગે ભાજપ સરકાર પર જે લોકો આક્ષેપ કરી રહ્યા છે, તે લોકોએ ન ભુલવું જોઈએ કે કોંગ્રેસની સરકારમાં બારોબાર ભરતી થતી હતી. નેતાઓ બાવળાં પકડીને નોકરીએ રાખી દેતાં હતા અને આજે પણ કેટલાય સરકારી કર્મચારીઓ નોકરી કરતા હશે. નરેન્દ્ર મોદીએ પરીક્ષા લેવાની શરૂઆત કરી હતી અને તેના આધારે પારદર્શક ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.

કરણી સેનાએ પણ યુવરાજસિંહની ધરપકડનો વિરોધ

બીજી તરફ યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો રાષ્ટ્રીય કરણી સેનાએ વિરોધ કર્યો હતો. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ જે,પી,જાડેજાએ કહ્યું હતું કે જે ઘટના દેખાડવામાં આવી રહી છે તે કદાચ ઉતાવળે બની હશે. યુવરાજસિંહ ભષ્ટ્રાચાર ખુલ્લો પાડવા મથામણ કરી રહ્યા છે. સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવે જો યોગ્ય તપાસ નહીં થાય તો કરણી સેના આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.

આ પણ વાંચો-ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી

આ પણ વાંચો-Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">