RAJKOT : નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ, ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી

કુંવરજી બાવળિયાના સમર્થનમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો કુંવરજી બાવળિયાને પ્રધાનમંડળમાંથી હટાવાશે તો ભાજપે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:34 PM

RAJKOT : રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુંવરજી બાવળીયાનું પત્તું કપાવાની શક્યતાને પગલે સમર્થકોમાં રોષ ફાટ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં સમર્થકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો કુંવરજી બાવળિયાને પ્રધાનમંડળમાંથી હટાવાશે તો ભાજપે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.મહત્વપૂર્ણ છે કે કોળી સમાજના અગ્રણીઓ અને કુંવરજી બાવળિયા વચ્ચે બેઠક યોજાઇ હતી.આ બેઠક બાદ બાવળિયાના સમર્થનમાં સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા.

તો બીજી તરફ કુંવરજી બાવળિયાએ પણ પક્ષે સોંપેલી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા છે.કુંવરજીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે..પત્રમાં કુંવરજીએ જસદણ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા સક્ષમ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે અને પેટાચૂંટણીની જવાબદારી સંગઠન પર ઢોળી દીધી છે.

કુંવરજી બાવળિયાએ કારણ આપ્યું છે કે નવા પ્રધાનમંડળ માટે ગાંધીનગરમાં હોવાથી આ કામગીરી નહીં કરી શકે.જોકે માનવામાં આવી રહ્યું છે કે નવા પ્રધાનમંડળમાંથી બાદબાકી થતી હોવાથી કુંવરજી બાવળિયા નારાજ છે અને પત્ર દ્વારા તેઓએ આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મૂજબ ભાજપે નવા પ્રધાનમંડળમાં નો રીપીટ થીયરી અંતર્ગત રૂપાણી કેબીનેટના સીનીયર મંત્રીઓ સહીત ઘણા પ્રધાનોના નામ કાપી નાખ્યા હતા, જેની જાણ આ પ્રધાનોને થતા કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રધાનોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : DEVBHUMI DWARKA : ઇન્ડિયન કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાં 12 ક્રૂ સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડી

 

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">