Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા કંચન સિદ્ધપુરા, જાણો કોણ છે કંચનબેન સિદ્ધપુરા અને કેવી છે તેમની રાજકીય કારર્કિદી

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી.

રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા કંચન સિદ્ધપુરા, જાણો કોણ છે કંચનબેન સિદ્ધપુરા અને કેવી છે તેમની રાજકીય કારર્કિદી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:36 PM

રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર કંચન સિદ્ધપુરાના નામની જાહેરાત કરાઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી. જે બાદ મેયર પ્રદિપ ડવે જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત રજૂ કરી હતી જેને તમામ સભ્યોએે ટેકો આપ્યો હતો અને કંચનબેનના નામની વિધીવત જાહેરાત કરવામાં આવી હતી.

કંચન સિદ્ધપુરાની રાજકીય કારર્કિદી

  • કંચન સિદ્ધપુરા 25 વર્ષથી ભાજપમાં સક્રિય છે.
  • વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે.
  • રાજકોટ શહેર ભાજપમાં ઉપપ્રમુખ, મંત્રી તથા મહામંત્રી તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે.
  • રાજકોટ શહેર ભાજપમાં મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
  • તેઓ લુહાર જ્ઞાતિના મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે.
  • આ ઉપરાંત જુદી-જુદી ચૂંટણીઓમાં અલગ અલગ જવાબદારી નિભાવે છે.

પાણીનો પ્રશ્ન હલ કરાશે, શાસકો સાથે મળીને કામ કરીશ: કંચન સિદ્ધપુરા

ડેપ્યુટી મેયર તરીકે પોતાના નામની જાહેરાત થયા બાદ કંચન સિદ્ધપુરાએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મારા કામની કદર કરી છે. હું રાજકોટ મહાનગરપાલિકાના તમામ શાસકો સાથે મળીને શહેરના જે પણ પ્રશ્નો હશે તેને હલ કરવાના પ્રયત્ન કરીશ. હાલ ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પાણીના પ્રશ્ને નિરાકરણ લવાશે તેવો દાવો કર્યો હતો.

સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો
શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ
Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?
ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?

6 મહિના સુધીની રહેશે ટર્મ !

રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ હોય છે. ચાલુ ટર્મ પુરા થવામાં 6 મહિનાની મુદ્દત બાકી છે તે પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહે ડેપ્યુટી મેયર પદેથી રાજીનામૂં આપતા આ જગ્યા ખાલી થઇ હતી. જેથી બીપીએમસી એક્ટ પ્રમાણે આ નિમણૂક કરાઇ હતી. જો કે 6 મહિના બાદ ફરી નવી નિમણૂક થઇ શકે છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ દાવો કર્યો હતો કે આ નિર્ણય ભાજપનું મવડી મંડળ લેતું હોય છે. પક્ષ એક જવાબદારી પૂરી થાય પછી બીજી જવાબદારી પણ આપતા હોય છે.

લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર ગામે GIDC આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું 
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">