Junagadh : CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો આપ્યો લક્ષ્યાંક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દિપ પ્રાગટ્ય કરીને આ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો.

Junagadh : CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો આપ્યો લક્ષ્યાંક
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 17, 2023 | 3:31 PM

જુનાગઢના મેંદરડામાં ખાનગી રિસોર્ટમાં ભાજપનો ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઇ હતી. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દિપ પ્રાગટ્ય કરીને આ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના 8 મહાનગરો અને જિલ્લા પ્રમુખો મળીને કુલ 181 જેટલા અપેક્ષિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકરોને અપાયો 26માંથી 26 બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક

ત્રણ દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ વર્ગમાં અંતિમ દિવસે સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને 26માંથી 26 બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક આપ્યો હતો.

પ્રાયોરિટી, પોલીસી અને પરફોમન્સના આધારે ગુજરાતનો સર્વાંગી વિકાસ-ધનસુખ ભંડેરી

ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે, પ્રશિક્ષણ વર્ગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસની યાત્રા વર્ણવી હતી. ગુજરાત એગ્રીકલ્ચર ક્ષેત્રે, ઔધોગિક ક્ષેત્રે, રોજગારીના ક્ષેત્રે, શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વિકાસના કામોને આધારે લોકોની વચ્ચે જવાનું સૂચન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિપક્ષની ડિપોઝીટ ડૂલ થાય તે પ્રકારનું આયોજન-ધનસુખ ભંડેરી

ધનસુખ ભંડેરીએ વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ અતૂટ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દે ભાજપે કરેલા કામના આધારે લોકોની વચ્ચે જવામાં આવશે. આ વખતે નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ અતૂટ છે ત્યારે 26 માંથી 26 બેઠકની સાથે દરેક બેઠક પર વિપક્ષની ડિપોઝીટ ડૂલ થાય તે રીતે વિજય મેળવવામાં આવશે.

ત્રણ દિવસમાં 17 સત્ર થશે, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ

ત્રણ દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ વર્ગમાં 17, 18 અને 19 એમ ત્રણ દિવસ સુધી 17 જેટલા સત્રો ચાલશે. જેમાં સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા, આગામી આયોજનો વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પ્રશિક્ષણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ સહિતના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. અંતિમ દિવસે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓ મેંદરડા ખાતે જ રહેશે અને દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">