Rajkot : રાજકોટમાં વહીવટી તંત્રની દબાણ દૂર કરવાની નોટિસને પગલે રહીશોનો વિરોધ

ઉલ્લેખનીય છે કે ગેરકાયદે જમીન પર વસતા લોકોને સરકારી વિભાગોએ જ વીજળી અને પાણીના જોડાણો આપ્યા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે જો લોકો ગેરકાયદે જ વસવાટ કરતા હતા તો કેમ વીજળી-પાણીનો જોડાણ અપાયા. અગાઉ હાઇકોર્ટે મકાન માલિકો પાસે માલિકી હકના પુરાવા તંત્રને રજૂ કરવા આદેશ કર્યો હતો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 3:22 PM

રાજકોટ  જિલ્લાના પારડીમાં ગ્રામજનોને  મકાન તોટી પાડવાની નોટિસ ફટકારતા ગ્રામજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જીવનભરની કમાણીથી ખરીદેલુ મકાન તોડી પાડવાની જો તંત્રની નોટિસ મળે તો? ઘર બનાવવા માટે  અતિશય સંઘર્ષ કર્યો હોય ત્યારે કોઈ મકાન માલિક માટે આ સમસ્યા કોઇ આફતથી કમ ન કહેવાય. કંઇક આવી જ આફત આવી પડી છે. રાજકોટના પારડી ગામના 227 પરિવારો માથે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ પારડી ગામના 227 મકાનો તોડી પાડવાની નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ છે કે પારડીના મકાનો ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધવામાં આવ્યા છે.

સપનાનું ઘર તૂટવાની નોટિસથી લોકો બન્યા લાચાર

પોતાના સપનાનું ઘર તૂટવાની વાત આવતા જ મહિલાઓ સહિત પારડીના ગ્રામજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. મકાન બચવવા મોટી સંખ્યામાં મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી હતી.  આ નોટિસ બાદ લોકોએ બિલ્ડરો અને સરપંચ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પારડીના હીશોનો આરોપ છે કે ખોટા દસ્તાવેજના આધારે સરપંચ સહિત કેટલાંક બિલ્ડરોએ તેમને જમીન પધરાવી દીધી હતી અને ખોટા સ્ટેમ્પ દ્વારા પ્લોટની ફાળવણી કરી હતી. રહીશોની માગ છે કે તેઓનું ઘર તોડવાનો નિર્ણય પડતો મુકવામાં આવે

એક મહિલાએ  પોતાનું દર્દ અને પીડા વ્યક્ત કરતા કહ્યું હતું કે   તેમણે પોતાના ઘરેણા અને જીવનભર કરેલી કમાણીની મૂડી સહિતની કિંમતી ચીજવસ્તુઓ વેચીને મકાન ખરીદ્યું હતું તો આ પરિસ્થિતિમાં તેઓ ક્યાં રહેવા જશે. આ મહિલાની માગ છે કે 5 વર્ષથી તેઓ રહે છે તો હવે સરકાર તેમને અહીંથી ન હટાવે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ઉલ્લેખનીય છે કે ગેરકાયદે જમીન પર વસતા લોકોને સરકારી વિભાગો દ્વારા જ  વીજળી અને પાણીના જોડાણો આપવામાં આવ્યા હતા. ત્યારે  હવે અહીં સવાલ એ સર્જાય કે જો લોકો ગેરકાયદે જ વસવાટ કરતા હતા તો પછી તેમને  એ સમયે વીજળી-પાણીના જોડાણ અપાયા.  જોડાણ આપ્યા બાદ હવે અચાનક આ મકાનો તોડી પાડવાની નોટિસ શા માટે આપવામાં આવી છે.?   આ ઘટનામાં હાઇકોર્ટે મકાન માલિકો પાસે માલિકી હકના પુરાવા તંત્રને રજૂ કરવા આદેશ કર્યો હતો. જેમાં બિલ્ડરોએ જમીનના 7 લાખના દસ્તાવેજો કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જમીન ખરીદનાર સાથે થયેલી છેતરપિંડી મુદ્દે શું તંત્ર ગુનો નોંધશે કે કેમ તે એક સવાલ છે.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">