AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો શું આપ્યું નિવેદન

Rajkot News : બેરોજગારીના મુદ્દા પર સાંસદ રામ મોકરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે બેરોજદારીના આંકડા એ વિપક્ષ અને કેટલીક ખાનગી NGOએ ઉભી કરેલી બૂમરાણ છે. કોંગ્રેસ લોકોને આંકડાઓ દર્શાવીને ભ્રમિત કરે છે.

Rajkot : રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો શું આપ્યું નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 12:35 PM
Share

રાજકોટમાં (Rajkot) રોજગાર મેળાના (Employment fair) કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વિવાદનો મધપૂડો છંછેડાય તે પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં કોઈ બેરોજગાર નથી. દરેક પાસે નોકરી છે. પોતાના ભાષણમાં મોકરિયાએ કહ્યું કે- હકીકતમાં કોઈ બેકાર નથી.

તેમણે કહ્યુ કે ઘરે કામવાળી નથી મળતી અને ઓફિસમાં પટાવાળા નથી મળતા. તમામ લોકો કામ કરી રહ્યા છે, પણ ખાનગી નોકરી કરી રહ્યા છે. સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે- ખેતીકામ માટે પણ માણસો નથી મળતા. માણસો મળવા મુશ્કેલ હોવા છતા વિપક્ષ કહે છે બેકારી છે. પરંતુ હકીકતમાં એવું કંઈ નથી.

આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીની US મુલાકાત પહેલા આવ્યું નિવેદન, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી મહત્વના સંબંધોમાંની એક

બેરોજગારીના મુદ્દા પર સાંસદ રામ મોકરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે બેરોજદારીના આંકડા એ વિપક્ષ અને કેટલીક ખાનગી NGOએ ઉભી કરેલી બૂમરાણ છે. કોંગ્રેસ લોકોને આંકડાઓ દર્શાવીને ભ્રમિત કરે છે. પરંતુ નવા-નવા મોલ બને છે તેમાં સફાઈ કામદાર, પ્લમ્બર સહિતના લોકોને કામ મળી જ રહે છે.. પરંતુ લોકોની ઈચ્છા વ્હાઈટ કોલર જોબ કરવાની હોય છે.

‘રોજગાર મેળા’ કાર્યક્રમમાં 71000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ‘રોજગાર મેળા’ કાર્યક્રમમાં 71000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PMએ સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. યુવાનોને નિમણૂક પત્રો આપતાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તમારી મહેનતના કારણે તમને આ નિમણૂક પત્ર મળ્યો છે.

તેણે કહ્યું કે હું તમને અને તમારા પરિવારને અભિનંદન આપું છું. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારત સરકારે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી છે. તેને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારત સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">