Gujarati Video : રાજકોટના આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીનો સરવે, વિસ્તરણ અધિકારીએ તપાસ હાથ ધરી
રાજકોટના ( Rajkot ) આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીના સરવે મુદ્દે TV9એ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. આટકોટમાં સરવેની કામગીરી માત્ર કાગળ પર થઇ હોવાનો કિસાન કોંગ્રેસે દાવો કર્યો હતો. જે બાદ TV9એ અહેવાલ દર્શાવી ખેડૂતોની વ્યથાને ઉજાગર કરી હતી.
રાજકોટના ( Rajkot ) આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીના સરવે મુદ્દે TV9એ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. આટકોટમાં સરવેની કામગીરી માત્ર કાગળ પર થઇ હોવાનો કિસાન કોંગ્રેસે દાવો કર્યો હતો. જે બાદ TV9એ અહેવાલ દર્શાવી ખેડૂતોની વ્યથાને ઉજાગર કરી હતી. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ વિસ્તરણ અધિકારીની ટીમ આટકોટ પહોંચી અને સરવે અંગે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : Rajkot: મંડલીકપુરમાં છેલ્લા 8 દિવસથી પાણીની બૂમરાળ, મહિલાઓએ રેલી કાઢીને વ્યક્ત કર્યો વિરોધ, જુઑ Video
જો કે અસરગ્રસ્ત ખેડૂતોએ સરવેને લઇને ફરી અસંતોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર સહાય ન ચૂકવવાના હેતુથી નુકસાનીના અલગ અલગ નિયમો અને પરિપત્રો દર્શાવે છે. ઘઉંનો પાક લેવા માટે ખેડૂતોએ ઘણું દેવું પણ કર્યું છે. ત્યારે જો પાકનું વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન તેમજ આત્મહત્યા સુદ્ધાં કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
