રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર, તંત્ર SOPમાં કોઈ ફેરફાર નહીં કરે તો રાઈડ્સ માલિકોએ હરાજીના બહિષ્કારની આપી ચીમકી

રાજકોટના લોકમેળામાં SOPને લઈને કોકડુ હજુ પણ ગૂંજવાયેલુ છે. સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવા મુદ્દે રાઈડ્સ સંચાલકોએ તેમનુ વલણ સ્પષ્ટ કરતા જણાવ્યુ છે કે જે તંત્ર દ્વારા SOPના નિયમો હળવા કરવામાં નહીં આવે અને તેમા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો તેઓ હરરાજીનો બહિષ્કાર કરશે અને આ વખતે રાઈડ્સ વગર જ મેળો યોજાશે

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 08, 2024 | 3:46 PM

રાજકોટના્ લોકમેળામાં SOPને લઈને રાઈડ્સ સંચાલકો ટસ ના મસ થવા તૈયાર નથી દેખાઈ રહ્યા. રાઈડ્સ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી છે. જો કે કલેક્ટરે પણ નિયમોમાં કોઈપણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે આ મુદ્દે હવે રાઈડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે અને સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. રાઈડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. અમે જુના નિયમો પ્રમાણે રાઈડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઈડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઈડ્સનો વીમો લઈએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઈડ્સ વગર યોજાશે”

રાઇડ્સની SOPને લઇ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું નિવેદન

આ તરફ રાઈડ્સની SOPને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યુ ” રાઈડ્સ અંગેની SOPમાં કોઈ ફેરફાર નહીં થાય. SOP લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. મને આશા છએ કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે. બીજી તરફ તેમણે જણાવ્યુ કે રાઈડ્સ ચાલુ નહીં થાય તો મેળાના અન્ય આકર્ષણ પણ છે.”

મહત્વનું છે, રાઇડ્સની હરાજી માટેનો આજે છેલ્લો દિવસ છે. જો નિયમોમાં ફેરફાર નહીં કરાઇ તો રાઇડ્સધારકો હરાજીમાં નહીં જોડાય તેવી ચર્ચા છે. બીજી તરફ કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે. કે “રાઇડ્સ ચાલુ નહીં થાય, તો મેળાના અન્ય આકર્ષણો પણ છે”. નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા તંત્ર મક્કમ છે. હવે જોવુ રહ્યું રાઇડ્સ ધારકો હરાજીમાં જોડાય છે કે પછી આ વખતે રાજકોટવાસીઓને રાઇડ્સ વિના જ મેળો માણવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">