રાજકોટના મેયરના વોર્ડમાં જ રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધનો જીવ ગયો

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતું કે વૃધ્ધના મોતની ઘટના દુખદ છે અને પરિવાર સાથે મારી સંવેદના છે.જો કે રખડતાં ઢોરને લઇને તંત્ર કામગીરી કરી રહ્યું છે.છેલ્લા ત્રણ મહિનામાં જ 3 હજારથી વધારે રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.

રાજકોટના મેયરના વોર્ડમાં જ  રખડતા ઢોરનો ત્રાસ, એક વૃદ્ધનો જીવ ગયો
An old man died after being tortured by stray cattle in the mayor's ward of Rajkot (મૃતક ફોટો)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:40 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા (RMC) રખડતાં ઢોર (Stray cattle)અંગે ગમે તેટલા દાવાઓ કરતું હોય પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક અલગ છે. શહેરના મવડી મેઇન રોડ પર મંગળવારે રાત્રીના સમયે વિનુભાઇ મકવાણા નામના વ્યક્તિ પોતાના બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે ડિવાઇડર ક્રોસ કરીને બે આખલા તેના બાઇક સાથે અથડાયા અને વિનુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વિનુભાઇને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિનુભાઇના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો શોકમાં ડુબી ગયા હતા અને રખડતાં ઢોરના ત્રાસ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

કાકાનો વલોપાત, રખડતાં ઢોર સામે પગલા લો, પરિવારનો આધાર ગુમાવ્યો

આ અંગે વિનુભાઇ મકવાણાના કાકાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે રખડતાં ઢોર ડિવાયડર ક્રોસ કરીને આવી ગયા હતા અને અમે અમારા સ્વજનને ગુમાવ્યા છે અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા છે જેની પણ પાંસળીઓ તૂટી ગઇ છે.અમે પરિવારનો આધાર ગુમાવ્યો છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી રખડતાં ઢોરનો ત્રાસ દુર થવો જોઇએ તેવી અમારી માંગ છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઘટના દુખદ છે. તંત્ર કામગીરી કરે છે-મેયર

આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતું કે વૃધ્ધના મોતની ઘટના દુખદ છે અને પરિવાર સાથે મારી સંવેદના છે.જો કે રખડતાં ઢોરને લઇને તંત્ર કામગીરી કરી રહ્યું છે.છેલ્લા ત્રણ મહિનામાં જ 3 હજારથી વધારે રખડતાં ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.ઘટનાની ગંભીરતાને જોતા આ ઝુંબેશ વઘુ વેગવંતી બનાવી દેવામાં આવશે.જે વ્યક્તિના રખડતાં ઢોર મળી આવ્યા છે તેની સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જવાબદાર માલધારી સામે એફઆરઆઇ નોંધો-કોંગ્રેસ

આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે રખડતાં ઢોર મામલે જે પણ જવબાદાર છે તેની સામે કાર્યવાહી કરવી જોઇએ.મહાનગરપાલિકા દ્રારા ઢોર પર ટેગિંગની કામગીરી કરી છે ત્યારે આ ઢોરનું ટેગિંગની ચકાસણી કરીને જવાબદાર ઢોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરીને એફઆરઆઇ નોંધવી જોઇએ.ભાજપ પોતાની વોટબેંક બચાવવા માટે નિયમોનો ભંગ થવા દે છે અને માલધારીઓને કંઇ થવા દેતા નથી..

મહત્વનું છે કે શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દુર કરવા માટે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલે મેયરને ટકોર કરી હતી જે બાદ મહાનગરપાલિકા દ્રારા આ ઝુંબેશને વધુ ઝડપી કરી હતી અને ઢોર પકડ પાર્ટી એક પારીના બદલે બે પારી કરી દીઘી હતી અને ચાર ટીમો દ્રારા ઢોરને પકડવામાં આવી રહ્યા છે.સરેરાશ એક મહિનામાં એક હજારથી વધારે રખડતાં ઢોરને પકડવામાં આવી રહ્યા છે.જો કે સમસ્યા યથાવત છે.

આ પણ વાંચો: CUET 2022 Exam Pattern: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ, એપ્રિલથી શરૂ થશે રજીસ્ટ્રિશન

આ પણ વાંચો: ECGC PO Recruitment 2022: ESGCમાં POની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">