તંત્રની કામગીરીથી ખેડૂતો થયા નારાજ! ટેકાના ભાવે મગફળીની ખરીદી ગોકળગાયની ગતિએ થતી હોવાનો આક્ષેપ
જો જગતના તાતને સહનશીલતાનું પ્રતિક કહીએ, તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે કુદરતી આપત્તિનો માર સહન કર્યા બાદ, હાલ જગતનો તાત ધીમી ખરીદ પ્રક્રિયાના કારણે હાલાકી વેઠી રહ્યા છે. અતિવૃષ્ટિ, માવઠા, અને કુદરતી રોગ બાદ જે પાક માંડ માંડ બચ્યો છે, તેને વેચવા માટે ખેડૂત શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તા પર લાઈનમાં બેસીને રાત […]
જો જગતના તાતને સહનશીલતાનું પ્રતિક કહીએ, તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે કુદરતી આપત્તિનો માર સહન કર્યા બાદ, હાલ જગતનો તાત ધીમી ખરીદ પ્રક્રિયાના કારણે હાલાકી વેઠી રહ્યા છે. અતિવૃષ્ટિ, માવઠા, અને કુદરતી રોગ બાદ જે પાક માંડ માંડ બચ્યો છે, તેને વેચવા માટે ખેડૂત શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તા પર લાઈનમાં બેસીને રાત ગુજારવા મજબૂર બન્યો છે. રાજકોટના ધોરાજી APMCમાં ગોકળગાયની ગતિએ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ખેડૂતો મોડી રાતથી પહોંચી જાય છે અને કાતિલ ઠંડીમાં એક-એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લગાવી રસ્તા પર જ રાત પસાર કરે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગોકળગાયની ગતિએ ચાલતી ખરીદી અને સ્ટાફની અછતના કારણે તેમને વેઠવાનો વારો આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો