RAJKOT : દિવ્યાંગો-શારીરિક અશક્તોને ઘરે જઇને વેકિસન અપાશે, કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરાશે.

RAJKOT : દિવ્યાંગો-શારીરિક અશક્તોને ઘરે જઇને વેકિસન અપાશે, કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
RAJKOT: Disabled-physically challenged to be vaccinated at home, helpline number announced by corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:26 PM

રાજકોટ શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે એક અભિયાન છેડાયું છે. રાજકોટ મનપા આજથી 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને ઘરે-ઘરે જઈને રસી આપશે. આ માટે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. તેના પર ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવીને રસી આપી જશે.રાજકોટ જિલ્લામાં તમામ લોકોને રસી આપવા માટે ડોર ટુ ડોર રસીકરણ થઈ રહ્યું છે. પરંતુ રાજકોટ શહેરમાં આ પ્રકારની સિસ્ટમ ન હતી.

દિવ્યાંગો અને અશક્તોને ઘરે જઇને અપાશે રસી

રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર વેક્સિનેશન અને તમામ માટે નહીં પરંતુ માત્ર દિવ્યાંગ અને અશક્ત લોકો માટે મ્યુનિસિપલ કમિશનરે રવિવારે નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના પગલે સોમવારથી જ દિવ્યાંગ અને શારીરિક અશક્ત લોકોને ઘરે જઈને રસી અપાશે. શહેરમાં નિયત કરેલ કોરોના વેક્સિન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેક્સિન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘેરબેઠા કોરોના વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

દિવ્યાંગો અને અશક્તો માટે હેલ્પનંબર અપાયો

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરાશે. લાભ લેનારે હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી આપવાની રહેશે.

હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ 24 થી 48 કલાકમાં હેલ્પલાઇન કંટ્રોલરૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિનની સેવા લાભાર્થીને ઘરે પૂરી પાડવામાં આવશે. આ દરમિયાન લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેક્સિનની વિગત મનપાની ટીમને આપવી પડશે. આમ, હવે રાજકોટ શહેરમાં પણ 100 ટકા વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નવી વ્યવસ્થા શરૂ કરાવી છે અને જે લોકો આરોગ્ય કેન્દ્રો પર આવી શકતા નથી તેમના પરિવારજનોએ સોમવાર (આજ)થી શરૂ કરવામાં આવનારી આ નવી સિસ્ટમનો વધુમાં વધુ લાભ લઈને રસીકરણ અભિયાનમાં સાથ આપવા જણાવ્યું છે.

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">