AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

Rajkot Corona Breaking: રાજકોટમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે અને મૃત્યુઆંકમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.શહેરના ચાર સ્મશાન ગૃહો કોરોના મૃતદેહો માટે અનામત રાખવામાં આવ્યા છે.

Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો
Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો
| Updated on: May 08, 2021 | 7:49 AM
Share

Rajkot Corona Breaking: રાજકોટમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે અને મૃત્યુઆંકમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.શહેરના ચાર સ્મશાન ગૃહો કોરોના મૃતદેહો માટે અનામત રાખવામાં આવ્યા છે.જો કે મૃત્યુઆંકમાં ઘટાડો થતા વાગુદડ ગામ ખાતે નવું બનાવેલ સ્મશાન બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓ માની રહ્યા છે કે જે રીતે પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે તે રીતે મૃત્યુઆંક પણ ઓછો થતો રહેશે.મૃત્યુઆંકમાં થતા ઘટાડાને કારણે વહીવટી વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

સ્મશાનના આંકડા રાજકોટમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે.શહેરની સિવીલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે એટલું જ નહિ હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ છે.આ સાથે ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં રાજકોટની સ્થિતિ થોડા સુધરતી જોવા મળી રહી છે.રાજકોટના સ્મશાન ગૃહોની પરિસ્થિતિ જોઇએ તો..

સ્મશાન ચાલુ રામનાથપરા 244 171 80 ફુટ રોડ બાપુનગર. 357. 302 મવડી સ્મશાન 130. 57 મોટા મૌવા 170 109

જે આંકડાઓ દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે જો કે સરકારી ચોપડે સરેરાશ 60 થી 70 દર્દીઓના આ સપ્તાહમાં મોત થયા હોવાના આંકડાઓ જાહેર થયા છે..શહેરના રામનાથ પરા સ્મશાનના સંચાલક ગુણુભાઇ ડેલાવાળા માની રહ્યા છે કે જે મૃતદેહો સરેરાશ 50 થી 60 આવતા હતા તેમાં ઘટાડો થયો છે અને હાલમાં 40 થી 50 જેટલા મૃતદેહો આવી રહ્યા છે એટલે કે આંશિક ઘટાડો નોંઘાયો છે.

તો આ તરફ બાપુનગર સ્મશાન ગૃહમાં નજર કરીએ તો કોરોનાનો કહેર હજુ પણ યથાવત હોય તેવો માહોલ જોવા મળ્યો કારણ કે સ્મશાનમાં એક સાથે પાંચ પાંચ ચીતાઓ અને કુલ મળીને સાત જેટલી સળગતી હતી જે દ્રશ્યો હ્દયને કંપાવી દે તેવા છે.અહીંના સંચાલકનું માનીએ તો અહીં સિવીલ હોસ્પિટલમાંથી મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે જેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી..

સ્થિતિ થાળે પડતા હજુ એક સપ્તાહ લાગશે આ તરફ આરોગ્ય વિભાગ માની રહ્યું છે કે કોરોના કેસની જેમ મૃત્યુઆંક પણ ઘીમે ધીમે ઘટતો જશે..જે રીતે કોરોના કેસમાં ઘટાડો થયો છે તે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા હજુ પણ આઠ થી દસ દિવસનો સમય લાગી શકે છે.ટીવીનાઇન સાથેની વાતચીતમાં ડો.પંકજ રાઠોડે કહ્યુ હતુ કે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે જે આગામી દિવસોમાં ગંભીર દર્દીઓમાં પણ ઘટાડો આવશે જેથી મૃત્યુઆંક ઘટી શકે છે.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">