બાપુના જન્મસ્થળ નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે : રામનાથ કોવિંદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) પ્રધાનમંત્રી મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને મેળાથી સાકાર કરવાની જે નવી દિશા મળી છે તેનો હર્ષ વ્યક્ત કરી રાષ્ટ્રપતિ અને મેઘાલય તથા સિક્કિમના મુખ્યમંત્રીઓ તેમજ કલાકારોને આવકાર્યા હતા.

બાપુના જન્મસ્થળ નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે : રામનાથ કોવિંદ
It is my privilege to inaugurate Madhavpur Ghed Mela near Bapu's birthplace: Ramnath Kovind (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:53 PM

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)  સૌરાષ્ટ્રના પોરબંદર (Porbandar)ખાતે સુવિખ્યાત માધવપુર મેળાનો (Madhavpur Fair) પ્રારંભ કરાવતા આ મેળાને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર, અનેકતામાં એકતા અને સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ રામ નવમીના પાવન પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા અને રુકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય ભારતના અનુબંધનને શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક તરીકે ઉજાગર કરતો આ મેળો માનવજીવનમાં એકતાનો જન સંવાદ અને ઉત્સવો તહેવારો સાથે નવા વિચારોની પણ એક આગવી મશાલ બન્યો છે.

રાષ્ટ્રપતિએ આ મેળાના ભવ્ય આયોજન માટે કેન્દ્ર અને ગુજરાત સરકારને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શો પર આધુનિક ભારતમાં રામ રાજ્યની સ્થાપનાની આશા રાખી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે, શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગામમાં અને બાપુના જન્મસ્થળ એવા પોરબંદર નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મેળાથી સાકાર કરવાની જે નવી દિશા મળી છે તેનો હર્ષ વ્યક્ત કરી રાષ્ટ્રપતિ અને મેઘાલય તથા સિક્કિમના મુખ્યમંત્રીઓ તેમજ કલાકારોને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ માધવપુરના આ મેળાને હવેથી દર વર્ષે કેન્દ્ર અને ગુજરાત સરકારના સહયોગથી રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણી સામાજિક એકતા અને આર્થિક ઉન્નતિ માટે આવા મેળાઓનું વ્યાપક ફલક પર આયોજન આઝાદી ના અમૃત વર્ષે દેશને આત્મ નિર્ભરતા તરફ લઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.

આ પણ વાંચો :Junagadh : રામનવમીએ ભવ્ય શોભાયાત્રાની નીકળી, રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો :IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">