AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

KKR vs DC Match : દિલ્હીની છેલ્લી મેચમાં આ બેટ્સમેને સારી ઇનિંગ રમી હતી. પરંતુ કોલકાતા સામેની મેચમાં દિલ્હીએ તેને બેટિંગ માટે પણ મોકલ્યો ન હતો.

IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં
Delhi Capitals (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:15 PM
Share

IPL 2022 માં રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં દિલ્હીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હશે. દિલ્હીએ આ મેચમાં એવા બેટ્સમેનને બેટિંગ માટે મોકલ્યા ન હતા જે હાલમાં જ રણજી ટ્રોફીમાં ધમાલ મચાવીને આવ્યો છે અને તેણે પોતાની બેટિંગથી IPL માં પણ અસર છોડી છે. અમે વાત કરી રહ્યા છીએ સરફરાઝ ખાનની (Sarfaraz Khan). આ વખતે સરફરાઝ દિલ્હી તરફથી રમી રહ્યો છે. તેને કોલકાતા સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી પરંતુ તેને બેટિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો.

સરફરાઝની આ સિઝનની બીજી મેચ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં દિલ્હી દ્વારા તેને તક આપવામાં આવી હતી અને આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાઝે લખનૌ સામે છેલ્લી ઓવરમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તે પણ એવી સ્થિતિમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી અને તેને એવી બેટિંગની જરૂર હતી જે ટીમને સ્થિરતા આપી શકે. સરફાઝે પણ એવું જ કર્યું.

અન્ય ખેલાડી પર ટીમે મુક્યો ભરોસો

સરફાઝને નંબર-4 કે 5 પર બેટિંગ માટે મોકલવામાં આવે છે. પરંતુ આ મેચમાં લલિત યાદવને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તે એક રન બનાવીને આઉટ થયો હતો. લલિત પછી પણ સરફરાઝ આવ્યો ન હતો. રોવમેન પોવેલ આઠ રન બનાવીને આઉટ થયો હતો. પોવેલ આ સિઝનમાં પ્રભાવિત કરી શક્યો નથી અને તેથી તેને સરફરાઝ પહેલા મોકલવાનો નિર્ણય થોડો વિચિત્ર લાગે છે.

આ પછી અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ સરફરાઝને તક આપવામાં આવી ન હતી. એવું નથી કે સરફરાઝ ઝડપી રન બનાવી શકતો નથી કે દાવને આગળ વધારી શકતો નથી. તેની પાસે આ બંને ક્ષમતાઓ છે. તેમ છતાં દિલ્હીએ તેને બેટિંગ માટે ન મોકલવો આશ્ચર્યજનક છે. T20માં સરફરાઝની સ્ટ્રાઈક રેટ જોઈએ તો તે 134.15 અને એવરેજ 22.69 છે.

સરફગાઝ શાનદાર ફોર્મમાં છે

સરફરાઝ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. આ વર્ષની રણજી ટ્રોફી સિઝનમાં તેણે મુંબઈ માટે 3 મેચ રમી અને ત્રણેય મેચમાં 50થી વધુ રન બનાવ્યા. તેણે સૌરાષ્ટ્ર સામે 275 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનની પ્રથમ મેચ હતી. ત્યારબાદ ગોવા સામેની બીજી મેચમાં પ્રથમ દાવમાં તેણે 63 રન બનાવ્યા. તેણે બીજી ઇનિંગમાં 48 રન બનાવ્યા હતા. ઓડિશા સામેની ત્રીજી મેચમાં તેણે ફરીથી જોરદાર ઇનિંગ રમી અને 165 રન બનાવ્યા.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને ઓપનિંગમાં ઉતારે, બદલાઇ જશે નસીબ! ભૂતપૂર્વ CSK ખેલાડી તરફથી સૂચનો

આ પણ વાંચો : RR vs LSG Live Cricket Score, IPL 2022 : લખનૌ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">