AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં

KKR vs DC Match : દિલ્હીની છેલ્લી મેચમાં આ બેટ્સમેને સારી ઇનિંગ રમી હતી. પરંતુ કોલકાતા સામેની મેચમાં દિલ્હીએ તેને બેટિંગ માટે પણ મોકલ્યો ન હતો.

IPL 2022: રણજી ટ્રોફીની 3 મેચમાં 551 રન કર્યા, છતાં દિલ્હી કેપિટલ્સે તેને સક્ષમ ન ગણ્યો, પ્લેઈંગ-11માં લેવા છતા બેટિંગ આપી નહીં
Delhi Capitals (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:15 PM
Share

IPL 2022 માં રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં દિલ્હીના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હશે. દિલ્હીએ આ મેચમાં એવા બેટ્સમેનને બેટિંગ માટે મોકલ્યા ન હતા જે હાલમાં જ રણજી ટ્રોફીમાં ધમાલ મચાવીને આવ્યો છે અને તેણે પોતાની બેટિંગથી IPL માં પણ અસર છોડી છે. અમે વાત કરી રહ્યા છીએ સરફરાઝ ખાનની (Sarfaraz Khan). આ વખતે સરફરાઝ દિલ્હી તરફથી રમી રહ્યો છે. તેને કોલકાતા સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી પરંતુ તેને બેટિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો.

સરફરાઝની આ સિઝનની બીજી મેચ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં દિલ્હી દ્વારા તેને તક આપવામાં આવી હતી અને આ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાઝે લખનૌ સામે છેલ્લી ઓવરમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તે પણ એવી સ્થિતિમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી અને તેને એવી બેટિંગની જરૂર હતી જે ટીમને સ્થિરતા આપી શકે. સરફાઝે પણ એવું જ કર્યું.

અન્ય ખેલાડી પર ટીમે મુક્યો ભરોસો

સરફાઝને નંબર-4 કે 5 પર બેટિંગ માટે મોકલવામાં આવે છે. પરંતુ આ મેચમાં લલિત યાદવને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તે એક રન બનાવીને આઉટ થયો હતો. લલિત પછી પણ સરફરાઝ આવ્યો ન હતો. રોવમેન પોવેલ આઠ રન બનાવીને આઉટ થયો હતો. પોવેલ આ સિઝનમાં પ્રભાવિત કરી શક્યો નથી અને તેથી તેને સરફરાઝ પહેલા મોકલવાનો નિર્ણય થોડો વિચિત્ર લાગે છે.

આ પછી અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ સરફરાઝને તક આપવામાં આવી ન હતી. એવું નથી કે સરફરાઝ ઝડપી રન બનાવી શકતો નથી કે દાવને આગળ વધારી શકતો નથી. તેની પાસે આ બંને ક્ષમતાઓ છે. તેમ છતાં દિલ્હીએ તેને બેટિંગ માટે ન મોકલવો આશ્ચર્યજનક છે. T20માં સરફરાઝની સ્ટ્રાઈક રેટ જોઈએ તો તે 134.15 અને એવરેજ 22.69 છે.

સરફગાઝ શાનદાર ફોર્મમાં છે

સરફરાઝ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. આ વર્ષની રણજી ટ્રોફી સિઝનમાં તેણે મુંબઈ માટે 3 મેચ રમી અને ત્રણેય મેચમાં 50થી વધુ રન બનાવ્યા. તેણે સૌરાષ્ટ્ર સામે 275 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનની પ્રથમ મેચ હતી. ત્યારબાદ ગોવા સામેની બીજી મેચમાં પ્રથમ દાવમાં તેણે 63 રન બનાવ્યા. તેણે બીજી ઇનિંગમાં 48 રન બનાવ્યા હતા. ઓડિશા સામેની ત્રીજી મેચમાં તેણે ફરીથી જોરદાર ઇનિંગ રમી અને 165 રન બનાવ્યા.

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને ઓપનિંગમાં ઉતારે, બદલાઇ જશે નસીબ! ભૂતપૂર્વ CSK ખેલાડી તરફથી સૂચનો

આ પણ વાંચો : RR vs LSG Live Cricket Score, IPL 2022 : લખનૌ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">