Cyclone Tauktae Updates Gujarat: પોરબંદરમાં 2 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે

Cyclone Tauktae Updates Gujarat: પોરબંદરમાં 2 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 16, 2021 | 4:10 PM

Cyclone Tauktae Updates Gujarat:  પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોરબંદરજિલ્લા અને ગ્રામ્ય કુલ વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર આવ્યું છે તો જિલ્લાભરમાંથી કુલ 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાશે. માધવપુરના દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં રાહત અને બચાવ માટે NDRFની કુલ 3 કંપની અને SDRFની 1 કંપની તૈનાત કરવામાં આવી છે.

હાલમાં પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ છે, જો કે દરિયામાં હળવો કરંટ હોવાને લઈને સમુદ્રમાં 1થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. પોરબંદર ચોપાટી અને સમુદ્ર તટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. હાલમાં પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો થયો છે. 5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લંગારવામાં આવી છે.

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને NDRF, SDRF અને વાયુસેના એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા તંત્રએ લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે અને 18 મેના રોજ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે.

પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો: Cyclone Tauktae Gujarat Update: તાઉ તે વાવાઝોડા સામે સજજ થયુ ગુજરાત, એક પણ મૃત્યુ ના થાય તેવુ કરાયુ આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">