પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલીમાં વધારો, સિંધુભવન રોડ પર ખોટા દસ્તાવેજોના આધારે પચાવી પાડેલી જમીન ટાંચમાં લેવાશે
પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. સિધુભવન રોડ પર ખોટા દસ્તાવેજોના આધારે પચાવી પાડેલી જમીન ટાંચમાં લેવાશે જેને લઈ પોલીસે જુદા જુદા સરકારી વિભાગો સાથે સંકલન શરૂ કરી દીધુ છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોપ્યુલર બિલ્ડર ગ્રૂપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય […]
પોપ્યલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. સિધુભવન રોડ પર ખોટા દસ્તાવેજોના આધારે પચાવી પાડેલી જમીન ટાંચમાં લેવાશે જેને લઈ પોલીસે જુદા જુદા સરકારી વિભાગો સાથે સંકલન શરૂ કરી દીધુ છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ પોપ્યુલર બિલ્ડર ગ્રૂપે ખોટી રીતે હડપ કરવામાં આવેલી તમામ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફકત સિંધુ ભવન રોડ ઉપર જ પોપ્યુલર ગ્રૂપની કરોડોની જમીન છે. જેના ઉપર વૈભવી સ્પોર્ટસ સંકુલ તેમજ ફુડ કોર્ટ બનાવવામાં આવ્યું છે.
રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોપ્યુલર ગ્રૂપના પરિવારના સભ્યોએ બનાટવી ડોકયુમેન્ટસના આધારે ખેડૂતોની કરોડોની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કરાયા છે. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડરોએ સિંધુ ભવન રોડ ઉપર વધારે જમીનો પણ પચાવી પાડી છે. જે અંગે આગામી દિવસોમાં વધુ ફરિયાદો થવાની છે. વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા અને તેમના પત્ની બંનેનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી સોમવારથી પીઆઈ જાડેજા અને તેમના પત્ની બંનેને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેથી તેમનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી હાલમાં રમણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં નહીં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો